વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

લો બોલો, મોરબી ડેપોની ધક્કા ગાડી બસના સમાચાર બાદ અધિકારીઓનો ડ્રાઇવરને ત્રાસ !


SHARE











લો બોલો, મોરબી ડેપોની ધક્કા ગાડી બસના સમાચાર બાદ અધિકારીઓનો ડ્રાઇવરને ત્રાસ !

મોરબી એસ.ટી. ડેપોમાં આપવામાં આવેલ બસમાં સમયસર રિપેરિંગ અને સારી બેટરીના અભાવે ઘણી બસોને થોડા સમયા પહેલા ધક્કા મારીને ચાલુ કરવામાં આવતી હતી જે મુદો પત્રકારોના ધ્યાને આવતા તેના સમાચાર બનાવવામાં આવ્યા હતા અને તે સમયે ઘણા એસટીના કર્મચારીના ઈંટરવ્યૂહ પણ લેવામાં આવ્યા હતા જો કે, એક ફિક્સ પગારદાર ડ્રાઇવરને ટાર્ગેટ કરીને અધિકારી અને યુનિયનના આગેવાનો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેથી તેઓના ત્રાસના લીધે હાલમાં હંગામી કર્મચારીએ રાજીનામુ ધરી દીધું છે જો કે, અન્ય કર્મચારીઓ સામે કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને જે તે સમયે બસમાં રિપેરિંગ કે સમાન ન હોવાથી હેરાનગતિ હતી તો તે બેદરકારી માટે કેમ કોઇની સામે પગલાં લેવામાં આવ્યા નથી

મોરબી એસટી ડેપોમાં ફિક્સ પગારદાર કર્મચારી તરીકે નોકરી કરતાં ડ્રાઇવર ઝાલા કુલદિપસિંહ મહેન્દ્રસિંહએ ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમના મેનેજીંગ ડીરેકટરને રાજીનામું ધરી દીધું છે જેમાં યુનિયન આગેવાન અધિકારીઓ, અન્ય અધિકારી, કર્મચારી સામે કેટલાક ધગધગતા આક્ષેપો કરેલ છે અને તેઓના માનસીક, આર્થિક અને શારિરીક ત્રાસથી કંટાળીને રાજીનામું મૂક્યું છે તેવો ઉલ્લેખ કર્યો છે હાલમાં જે કર્મચારીએ રાજીનામું આપેલ છે તેને લખ્યું છે કે, મોરબી ડેપોના યુનિયનના આગેવાન અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેઓને હેરાન કરવામાં આવે છે કેમ કે, મોરબી એસ.ટી. ડેપોમાં આપવામાં આવેલ બસમાં સમયસર રિપેરિંગ અને સારી બેટરીના અભાવે ઘણી બસોને થોડા સમયા પહેલા ધક્કા મારીને ચાલુ કરવામાં આવતી હતી  અને રાત્રિ રોકાણ માટે ગામડે જે બસો જતી હોય તેને ચાલુ કરવા માટે મુશ્કેલીઓ થતી હતી જેથી કરીને મુસાફરો પાસેથી આ મુદો પત્રકારોના ધ્યાને આવતા તેના સમાચાર બનાવવામાં આવ્યા હતા અને તે સમયે એસટીના હેડ મિકેનિક સહિતના ઘણા કર્મચારીના ઈંટરવ્યૂહ પણ લેવામાં આવ્યા હતા જો કે, એક ફિક્સ પગારદાર ડ્રાઇવરને ટાર્ગેટ કરીને અધિકારી અને યુનિયનના આગેવાનો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેથી તેઓના ત્રાસના લીધે હાલમાં હંગામી કર્મચારીએ રાજીનામુ ધરી દીધું છે જો કે, અન્ય કર્મચારીઓ સામે કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી ? અને જે તે સમયે બસમાં રિપેરિંગ કે સમાન ન હોવાથી જે હેરાનગતિ હતી તે બેદરકારી માટે ડેપો મેનેજર સહિતના કોઈપણ કર્મચારી સામે કેમ કોઇની સામે પગલાં લેવામાં આવ્યા નથી ? તે પ્રશ્ન છે






Latest News