મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

લો બોલો, મોરબી ડેપોની ધક્કા ગાડી બસના સમાચાર બાદ અધિકારીઓનો ડ્રાઇવરને ત્રાસ !


SHARE







લો બોલો, મોરબી ડેપોની ધક્કા ગાડી બસના સમાચાર બાદ અધિકારીઓનો ડ્રાઇવરને ત્રાસ !

મોરબી એસ.ટી. ડેપોમાં આપવામાં આવેલ બસમાં સમયસર રિપેરિંગ અને સારી બેટરીના અભાવે ઘણી બસોને થોડા સમયા પહેલા ધક્કા મારીને ચાલુ કરવામાં આવતી હતી જે મુદો પત્રકારોના ધ્યાને આવતા તેના સમાચાર બનાવવામાં આવ્યા હતા અને તે સમયે ઘણા એસટીના કર્મચારીના ઈંટરવ્યૂહ પણ લેવામાં આવ્યા હતા જો કે, એક ફિક્સ પગારદાર ડ્રાઇવરને ટાર્ગેટ કરીને અધિકારી અને યુનિયનના આગેવાનો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેથી તેઓના ત્રાસના લીધે હાલમાં હંગામી કર્મચારીએ રાજીનામુ ધરી દીધું છે જો કે, અન્ય કર્મચારીઓ સામે કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને જે તે સમયે બસમાં રિપેરિંગ કે સમાન ન હોવાથી હેરાનગતિ હતી તો તે બેદરકારી માટે કેમ કોઇની સામે પગલાં લેવામાં આવ્યા નથી

મોરબી એસટી ડેપોમાં ફિક્સ પગારદાર કર્મચારી તરીકે નોકરી કરતાં ડ્રાઇવર ઝાલા કુલદિપસિંહ મહેન્દ્રસિંહએ ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમના મેનેજીંગ ડીરેકટરને રાજીનામું ધરી દીધું છે જેમાં યુનિયન આગેવાન અધિકારીઓ, અન્ય અધિકારી, કર્મચારી સામે કેટલાક ધગધગતા આક્ષેપો કરેલ છે અને તેઓના માનસીક, આર્થિક અને શારિરીક ત્રાસથી કંટાળીને રાજીનામું મૂક્યું છે તેવો ઉલ્લેખ કર્યો છે હાલમાં જે કર્મચારીએ રાજીનામું આપેલ છે તેને લખ્યું છે કે, મોરબી ડેપોના યુનિયનના આગેવાન અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેઓને હેરાન કરવામાં આવે છે કેમ કે, મોરબી એસ.ટી. ડેપોમાં આપવામાં આવેલ બસમાં સમયસર રિપેરિંગ અને સારી બેટરીના અભાવે ઘણી બસોને થોડા સમયા પહેલા ધક્કા મારીને ચાલુ કરવામાં આવતી હતી  અને રાત્રિ રોકાણ માટે ગામડે જે બસો જતી હોય તેને ચાલુ કરવા માટે મુશ્કેલીઓ થતી હતી જેથી કરીને મુસાફરો પાસેથી આ મુદો પત્રકારોના ધ્યાને આવતા તેના સમાચાર બનાવવામાં આવ્યા હતા અને તે સમયે એસટીના હેડ મિકેનિક સહિતના ઘણા કર્મચારીના ઈંટરવ્યૂહ પણ લેવામાં આવ્યા હતા જો કે, એક ફિક્સ પગારદાર ડ્રાઇવરને ટાર્ગેટ કરીને અધિકારી અને યુનિયનના આગેવાનો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેથી તેઓના ત્રાસના લીધે હાલમાં હંગામી કર્મચારીએ રાજીનામુ ધરી દીધું છે જો કે, અન્ય કર્મચારીઓ સામે કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી ? અને જે તે સમયે બસમાં રિપેરિંગ કે સમાન ન હોવાથી જે હેરાનગતિ હતી તે બેદરકારી માટે ડેપો મેનેજર સહિતના કોઈપણ કર્મચારી સામે કેમ કોઇની સામે પગલાં લેવામાં આવ્યા નથી ? તે પ્રશ્ન છે






Latest News