તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

પતિના વ્યસન છોડાવીને બચતની રકમ પત્ની સમાજમાં આપે: મોરબી જિલ્લા ઉમિયા પરિવારના સમૂહલગ્નમાં કાંતિભાઈ અમૃતિયાની ટકોર


SHARE











પતિના વ્યસન છોડાવીને બચતની રકમ પત્ની સમાજમાં આપે: મોરબી જિલ્લા ઉમિયા પરિવારના સમૂહલગ્નમાં કાંતિભાઈ અમૃતિયાની ટકોર

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન ચાંચાપર ગામે કરવામાં આવ્યું હતું તેમાં એક જ માંડવા નીચે ૫૬ નવ યુગલએ સંતો મહંતો અને સમાજના આગેવાનોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગલાં માંડ્યા હતા ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ એવી મહિલાઓને એવી ટકોર કરી હતી કે, તમારા પતિને કોઈ પણ વ્યસન હોય તો તે છોડાવો અને તે બચતની રકમ સમાજ ઉપયોગી કામ કરતી સંસ્થામાં આપશો તો પણ તમારું મોટું યોગદાન ગણાશે

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વખતે સમાજની ૫૬ દીકરીઓના સમાજના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં સમૂહલગ્ન યોજાયા હતા આ તકે સીદસર મંદિરના ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, બગથળા નકલંક મંદિરના મહંત દમજીભગત, ગોવિંદભાઇ ધોળકિયા, આર.પી.પટેલ, નેવીલભાઈ પટેલ, ગોવિંદભાઇ વરમોરા, પ્રવીણભાઈ ભાલોડીયા, વાલજીભાઇ ફળદુ, સાંસદ મોહનભાઇ કુંડારિયા, માજી મંત્રી જયંતિભાઈ કવાડીયા અને બ્રિજેશભાઇ મેરજા, બાબુભાઇ ઘોડાસરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા

આ સમૂહલગ્નમાં દીકરીઓને દાતાન સહયોગથી આયોજકો તરફથી સોનાથી લઈને સોય સુધી કુલ મળીને ૬૮ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આપવામાં આવી હતી અને મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિના પ્રમુખ મનસુખભાઇ કૈલાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે સમાજના નબળા વર્ગના લોકો જ સમૂહલગ્નમાં જોડાય તે વ્યાખ્યાને પાટીદાર સમજે બદલી નાખી છે અને છેલ્લા વર્ષોમાં આ સમિતિ દ્વારા દાતાના સહયોગથી કુલ મળીને ૧૬૦૦ થી વધુ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે તો આગેવાનો તેમજ સંતોએ પ્રાસંગિક પવચન કર્યું હતું

જો કે, કાંતિભાઈ અમૃતિયાએ વ્યાજના વિશ ચક્રમાં ફસાયેલા સમાજના યુવાનો સહિતનાઓએ કોઈનો પણ ડર રાખવાની જરૂર નથી વ્યાજખોરોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી તેમજ સામાન્ય રીતે સમાજના કામ માટે પુરુષો જ ફાળો આપતા હોય છે ત્યારે પતિનીઓ તેના પતિને કોઈ પણ વ્યસન હોય તો તે છોડાવીને તે બચતની રકમ સમાજ ઉપયોગી સંસ્થામાં આપશે તો તેનું તે મોટું યોગદાન ગણાશે






Latest News