મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર બેઠા પુલ કરવા વિહિપના આગેવાનની સીએમને સૂચન


SHARE







મોરબીની ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર બેઠા પુલ કરવા વિહિપના આગેવાનની સીએમને સૂચન

મોરબીમાં ટ્રાફીક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ટ્રાફીક સમસ્યા ઉકેલવા માટે મોરબીના સામાજીક કાર્યકર અને વિહિપના આગેવાનસીએમને રજુઆત કરી છે અને મોરબી ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર નવા બેઠા પુલ બનાવવા માટે સૂચન કર્યું છે

મોરબીમાં રહેતા સામાજીક કાર્યકર અને વિહિપના આગેવાન હસમુખભાઈ ગઢવીટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે સીએમને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના ઔદ્યોગીક વિકાસને ધ્યાને રાખીને ફરતે રીંગ રોડ બને તો ભારે વાહનોને શહેરમાં આવવાનું જ ન રહે અને બારોબાર તેની નીકળી જશે આવી જ રીતે મચ્છુ નદી ઉપર ચાર સ્થળે બેઠા પુલ કરવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે જેમાં જુના સ્મશાનથી ઉમા ટાઉનશીપ, કાલીકા ઘાટથી મહાપ્રભુજીની બેઠક, રામઘાટથી સામાકાંઠે ન્યુ પેલેસ રોડ અને ભડીયાદ રોડથી લીલાપર રોડનો સમાવેશ થાય છે અને નગરપાલીકા-જીલ્લા પંચાયત હસ્તકનાં રોડ-રસ્તાના પ્રોજેકટ વહેલી તકે પૂરા કરવા તેમજ નટરાજ ફાટક, ઉમીયા સર્કલ, કુબેરનગર પાસે નવલખી ફાટક પાસે ઓવરબ્રીજ બનાવાની પણ માંગ કરી છે.

મોરબીથી જેત૫૨ અને મોરબીથી હળવદ ફોરલેનનું કામ મંજૂર કરી દેવામાં આવ્યું છે જો કે, આ કામ વહેલી તકે ચાલુ થાય, છેલ્લા ઘણા વર્ષોથી જુના ઓવરબ્રીજનાં કામ ચાલે છે તે વહેલી તકે પૂરા કરવામાં આવે, ગામોને જોડતાં ગાડા માર્ગ વહેલી તકે આર.સી.સી. બનાવવાનું પણ સૂચન કર્યું છે મોરબીથી રાજય સરકારને ટેકસ બહોળા પ્રમાણમાં આપવામ આવે છે. ત્યારે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે વહેલી તકે હાલમાં કરવામાં આવેલ સૂચનનું અમલીકરણ કરવામાં આવે તે જરૂરી છે 






Latest News