તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયામાં ઘરમાં ચૂલો સળગાવતા સમયે દાઝી ગયેલા વૃદ્ધાનું મોત​​​​​​​ 


SHARE











વાંકાનેરના પંચાસિયામાં ઘરમાં ચૂલો સળગાવતા સમયે દાઝી ગયેલા વૃદ્ધાનું મોત 

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા વૃદ્ધા પોતાના ઘરની અંદર ચૂલો સળગાવતા હતા ત્યારે તેને પહેરેલા કપડામાં આગ લાગી હતી જેથી કરીને વૃદ્ધા ગંભીર રીતે દાજી ગયા હતા જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને પોલીસને અકસ્માત મૃત્યુના બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા જયંતીલાલ મકવાણાના પત્ની મધુબેન મકવાણા (૬૫) પોતાના ઘરે હતા અને ત્યારે તેઓ સવારે આઠેક વાગ્યાના અરસામાં ચૂલો સળગાવતા હતા દરમિયાન તેને પહેરેલા કપડામાં આગ લાગી ગઈ હતી જેથી કરીને તેઓ ગંભીર રીતે દાજી ગયા હતા અને તેના પતિ જયંતીલાલ મકવાણા ગંભીર હાલતમાં મધુબેનને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે વૃદ્ધાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી મોત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં લક્ષ્મી ટાવરમાં રહેતા જીતેન્દ્રભાઈ વાલજીભાઈ ગામી જાતે પટેલ (૩૫) પોતાના ઘરે હતા ત્યારે કોઈપણ સમયે તેને હાર્ટ એટેક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃત દેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હોય હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News