મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અકસ્માત સમયે માનવતા મહેકાવતાં સેવાભાવીઓનું કરાયું સન્માન


SHARE











મોરબી જીલ્લામાં અકસ્માત સમયે માનવતા મહેકાવતાં સેવાભાવીઓનું કરાયું સન્માન

મોરબી સુખડીયા સમાજના ટ્રસ્ટી અને સેવાભાવી એવા સંજયભાઈ શેઠ રોડ અકસ્માતમાં ઘવાયેલા દર્દીને તુરંત હોસ્પિટલ પહોંચાડી અને તેનું જીવન બચાવ્યું હતું. જેથી કરીને તેમની આ માનવીય સહાયતા બદલ જીલ્લા કલેકટર અને ઇન્ચાર્જ એસપીના હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે અધિકારીઓએ દ્વારા સેવાભાવી સંજયભાઈ મહીપતભાઈ શેઠને સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું અને અન્ય નાગરિકો પણ રોડ અકસ્માતના દર્દીઓને તાકીદે સારવાર મળે તે માટે જરૂરી મદદ કરે તેવી અધિકારીઓએ અપીલ કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ પણ મોરબી પુલ હોનારતમાં સંજયભાઈની સેવાકીય કામગીરીની નોંધ લેવામાં આવી હતી અને બચાવ કાર્ય દરમ્યાન ૭ દિવસ સુધી સંજયભાઈ શેઠ તથા તેમના મિત્રો ભાવેશભાઈ મણીયારજયદીપ એન્ડ કંપની વાળા દિલુભા જાડેજા અને રૂચીકભાઈ કારીયાના સહયોગથી નિશુલ્ક નાસ્તો-ચા, પાણી- ભોજનફ્રુટની સેવા આપી હતી તે ઉપરાંત મોરબી નજીકના લાલપર ગામના રહેવાસી અને સેવાકર્મી મયુરભાઈ રતિલાલભાઈ અઘારાનું કલેકટર જી.ટી.પંડ્યા અને ઇન્ચાર્જ એસપી પી. એસ. ગોસ્વામીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ અને સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યું હતું આવી જ રીતે માળીયા મીયાણાના સામાજિક કાર્યકર જાનમહમદ હબીબભાઇ જામ ઉર્ફે જીવાભાઈને તેના સેવાકાર્ય માટે કલેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ પણ રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અપાવવા માટે ડોક્ટર અને પોલીસ સાથે હંમેશા રહેતા હોય છે






Latest News