તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પિતરાઇ બહેનના શ્રીમંતમાં જવાની પતિએ ના કહેતા પરિણીતાએ કર્યો આપઘાત


SHARE











વાંકાનેરમાં પિતરાઇ બહેનના શ્રીમંતમાં જવાની પતિએ ના કહેતા પરિણીતાએ કર્યો આપઘાત

વાંકાનેર શહેરમાં આવેલ મન મંદિર સોસાયટીમાં રહેતી પરિણીતાની પિતરાઈ બહેનના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો અને તેના પતિએ ત્યાં જવાની ના પાડી હતી જેથી કરીને પરણીતાને લાગી આવતા પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ મન મંદિર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મોનાભાઈ લામકાના પત્ની અમુબેન લામકા (૨૮) પોતાના ઘરે હતા ત્યારે બપોરના સમયે ગળાફાંસો ખાઈને તેને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને ઘનશ્યામભાઈ મોનાભાઈ લામકા વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાલજીભાઈ રામજીભાઈ પરમાર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક પરણીતાના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે મૃતક મહિલાની માસીની દીકરીના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો અને તેના ઘરે નૈવેધ હતા જેથી મૃતક મહિલાના પતિએ શ્રીમંતના પ્રસંગમાં જવાની ના પાડી હતી અને ત્યારબાદ તે પોતાના કામે જતો રહ્યો હતો અને દરમિયાન પરણીતા તેના ઘરે હતી ત્યારે તેને ગળાફાંસો ખાઈને આપઘાત લીધેલ છે હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દારૂની બે બોટલ સાથે પકડાયો

ટંકારા તાલુકામાં પ્રભુચરણ આશ્રમથી કલ્યાણપર જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે હરેશભાઈ ખીમજીભાઈ ગોપાણી જાતે પટેલ (ઉંમર ૪૨) રહે. કલ્યાણપર વાળાની ધરપકડ કરેલ છે






Latest News