મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પિતરાઇ બહેનના શ્રીમંતમાં જવાની પતિએ ના કહેતા પરિણીતાએ કર્યો આપઘાત


SHARE











વાંકાનેરમાં પિતરાઇ બહેનના શ્રીમંતમાં જવાની પતિએ ના કહેતા પરિણીતાએ કર્યો આપઘાત

વાંકાનેર શહેરમાં આવેલ મન મંદિર સોસાયટીમાં રહેતી પરિણીતાની પિતરાઈ બહેનના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો અને તેના પતિએ ત્યાં જવાની ના પાડી હતી જેથી કરીને પરણીતાને લાગી આવતા પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ મન મંદિર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મોનાભાઈ લામકાના પત્ની અમુબેન લામકા (૨૮) પોતાના ઘરે હતા ત્યારે બપોરના સમયે ગળાફાંસો ખાઈને તેને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને ઘનશ્યામભાઈ મોનાભાઈ લામકા વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાલજીભાઈ રામજીભાઈ પરમાર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક પરણીતાના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે મૃતક મહિલાની માસીની દીકરીના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો અને તેના ઘરે નૈવેધ હતા જેથી મૃતક મહિલાના પતિએ શ્રીમંતના પ્રસંગમાં જવાની ના પાડી હતી અને ત્યારબાદ તે પોતાના કામે જતો રહ્યો હતો અને દરમિયાન પરણીતા તેના ઘરે હતી ત્યારે તેને ગળાફાંસો ખાઈને આપઘાત લીધેલ છે હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દારૂની બે બોટલ સાથે પકડાયો

ટંકારા તાલુકામાં પ્રભુચરણ આશ્રમથી કલ્યાણપર જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે હરેશભાઈ ખીમજીભાઈ ગોપાણી જાતે પટેલ (ઉંમર ૪૨) રહે. કલ્યાણપર વાળાની ધરપકડ કરેલ છે






Latest News