મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન


SHARE











મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૨૬ ના રોજ મોરબીના ચાંચાપર ગામે એક જ માંડવા નીચે ૫૬ નવ યુગલો સંતો-મહંતો અને સમાજના આગેવાનોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગલાં માંડશે.

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ વખતે સમાજની ૫૬ દીકરીઓના સમાજના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં સમૂહલગ્ન યોજાશે. ત્યારે ૨૪ તારીખે બપોરે ૩.૧૫ કલાકે મંડપ મહુર્ત, તા.૨૫ ના રોજ સવારે ૬ કલાકે જાન આગમન, ૬:૩૦ કલાકે સામૈયા, ૭:૦૦ કલાકે હસ્ત મેળાપ, ૧૦:૦૦ કલાકે આશીર્વચન યોજાશે આ તકે ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખ બાબુભાઇ પટેલ, બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત, જેરામભાઈ વાંસજાળિયા, ગોવિંદભાઇ ધોળકિયા, આર.પી.પટેલ, મથુરભાઇ સવાણી, ગોવિંદભાઇ વરમોરા, પ્રવીણભાઈ ભાલોડીયા, વાલજીભાઇ ફળદુ, મોહનભાઇ કુંડારિયા, જયંતિભાઈ કવાડીયા, હંસરાજભાઇ ધોળુ, બાબુભાઇ ઘોડાસરા અને જયસુખભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહેશે અને નવ દંપતીઓને આશીર્વાદ આપશે અને આ દીકરીઓને દાતાઓના સહયોગથી આયોજકો તરફથી સોનાથી લઈને સોય સુધી કુલ મળીને ૬૮ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે તેવું  મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનસુખભાઇ કૈલા તેમજ જયંતિભઈ વિડજાએ માહિતી આપતા જણાવ્યુ છે.

સરદાર લેઉઆ પાટીદાર સમાજ

ટંકારા શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ યુવા સમિતિ અને મહિલા સમિતિ દ્વારા તા ૨૬ ને ગુરૂવારબ રોજ વસંતપંચમીનાં દિવસે એક જ માંડવે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને ચતુર્થ સમૂહ લગ્નમાં ૧૯ યુગલ સમાજના આગેવાનોની હાજરીમાં સંતો મહંતોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં માંડશે આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, માજી મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના આગેવાનો અને સંતો મહંતો હાજર રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકર્તા બેચરભાઈ ઢેઢી, યુવા કમિટી પ્રમુખ અજય સંઘાણી, ઉપપ્રમુખ વિમલ ભાગિયા, મંત્રી અલ્પેશ મુંજાત, હસમુખ દુબરીયા, મુકેશ દુબરિયા, દિવ્યેશ નમેરા, ફાલ્ગુન સંઘાણી, નિલેશ પટ્ટણી, નિરવ ભાગીયા તેમજ મહિલા સમિતિ અને આગેવાનો સહિતનાઑ જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News