મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

ગૌસેવા કરતાં ભમાશાઓને સલામ: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું ૬૧ લાખથી વધુનું દાન


SHARE











ગૌસેવા કરતાં ભમાશાઓને સલામ: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું ૬૧ લાખથી વધુનું દાન

મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું ખુબ જ મહત્વ હોય છે જેથી કરીને લોકો પોતાની યથા શક્તિ પ્રમાણે દાન કરીને પુણ્યનું ભથ્થું બાંધતા હોય છે જો કે, વાત કરીએ મોરબીની તો અહીના ઉદ્યોગકારો સહિતના દાતાઓ તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવી રહ્યું છે તો પણ મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ વરસી પડે છે તેવી જ રીતે પાંજરાપોળમાં ગૌસેવા માટે મોરબીના દાતાઓ વરસી ગયા હતા જેથી કરીને ૬૧ લાખથી વધુનું દાન આવ્યું છે

હિંદુ સંસ્કૃતિમાં દાન ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે જેથી લોકો પોતાની યથા શક્તિ પ્રમણે દાન કરતા હોય છે મોરબીના રાજવી પરિવાર દ્વારા વર્ષો પહેલા મોરબી પાંજરાપોળમાં રહેતા ગૌ વંશો સહિતના અબોલ જીવોના નિભાવ માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી દેવામાં આવી છે જો કે, આ પાંજરાપોળને લોકો તરફથી અવિરત દાન તો મળે જ છે અને પાંજરાપોળ પાસે જે હજારો હેક્ટર જમીન છે તેનો સદુપયોગ કરીને ગૌવંશના ખોરાક માટે જેટલા ચારાની દૈનિક જરૂર હોય છે તેના ૩૦ ટકા જેટલા ચારાની વ્યવસ્થા પાંજરાપોળની વીડીમાંથી કરવામાં આવે છે

આજની તારીખે ૪૫૦૦ થી વધુ ગૌવંશનો નિભાવ મોરબી પાંજરાપોળમાં કરવામાં આવે છે જેના માટે મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે મોરબીના દાતાઓ લાખો રૂપિયાનુ દાન આપતા હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ સવારથી સાંજ સુધીમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં સ્ટોલ ઊભા કરીને દાન એકત્રિત કરવામાં આવ્યું હતું અને મોરબીના સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી મોરબી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે ૬૧ લાખથી વધુ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ છે અને ગો સેવાના આ યજ્ઞમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના દાતાઓ વર્ષ દરમ્યાન ખુલ્લા હાથે દાન આપતા હોય છે






Latest News