તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રાજનગરમાં રહેતો યુવાન ઝેરી દવા પી જતા સારવારમાં


SHARE











મોરબીના રાજનગરમાં રહેતો યુવાન ઝેરી દવા પી જતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર વિસ્તારમાં રહેતો યુવાન કોઈ કારણોસર તેના ઘરે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને હાલમાં બેભાન હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતો મેહુલ લક્ષ્મણભાઈ નંદાસણા નામનો ૨૫ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં અત્રેની મંગલમ હોસ્પિટલે હાલ સારવારમાં દાખલ કરવામાં આવ્યો છે હાલ મેહુલ નંદાસણા બેભાન હાલતમાં હોવાનું જાણવા મળેલ છે.સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

દવા પી જતા યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રહેતો સંદીપ રમેશભાઈ કાવર જાતે પટેલ નામનો ૩૨ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે દવા પી ગયો હોય તેને મોરબીની શુભ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે.બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી જોકે હાલ સંદીપભાઈ કાવર બેભાન હાલતમાં હોય કયા કારણોસર તેઓએ ઉપરોકચ પગલું ભર્યું તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા થતા વૃદ્ધ દંપતી સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે નીલકંઠ સીરામીક નજીક રહેતા વૃદ્ધ દંપતિને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે નીલકંઠ સીરામીક નજીક રહેતા સુનિતાબેન મગનભાઈ ડામોર (ઉમર ૫૦) અને મગનભાઈ રૂગીયાભાઈ ડામોર (ઉમર ૫૫) નામના વૃદ્ધ દંપતીને મારામારીના બનાવમાં ઈજા પહોંચતા બંનેને સિવિલે સારવાર માટે લવાયા હતા હાલ બનાવના કારણ અંગે મણીભાઈ ગામેતી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમના ભાઈ સાથે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હોવાની હાલ પ્રાથમિક વિગતો સામે આવી છે.






Latest News