મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે ઘરમાં પગથિયા ઉપરથી પડી જતાં વૃદ્ધનું મોત


SHARE







વાંકાનેરના તીથવા ગામે ઘરમાં પગથિયા ઉપરથી પડી જતાં વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા વૃદ્ધ પોતાના ઘરે પગથીયા ઉપરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને માથામાં અને શરીરને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું અને તેના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી ન્મહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા શેરસિયા હુસેનભાઇ જીવાભાઈ (ઉમર ૫૮) પોતાના ઘરે હતા ત્યારે તે પોતાના ઘરે સીડીના પગથીયા ઉપરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે મહમદભાઈ હુસેનભાઇ લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં વૃદ્ધને ઇજા

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા અલારખાભાઈ ઈશાભાઈ ચાનિયા નામના ૭૭ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાંથી બનાવની જાણ થતા તાલુકા પોલીસે નોંધ કરી આ અંગે આગળની તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યુ હતું કે તા.૯ ના સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં અલારખાભાઈ ચાનીયા બાઇક લઈને ધરમપુર ગામના પાટીયાની સામેના રોડ ઉપરથી જતા હતા ત્યારે પાછળના ભાગેથી અજાણ્યા કાર ચાલકે તેમના બાઇકને હેડફેટે લીધું હતું જેથી કરીને સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં તેમને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા છે.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે રહેતા રજાકભાઈ દાઉદભાઈ કોબીયા નામના ૪૦ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યુ હતું કે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની પાસે સોમનાથ પેટ્રોલ પંપ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રજાકભાઈને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News