મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે ઘરમાં પગથિયા ઉપરથી પડી જતાં વૃદ્ધનું મોત


SHARE











વાંકાનેરના તીથવા ગામે ઘરમાં પગથિયા ઉપરથી પડી જતાં વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા વૃદ્ધ પોતાના ઘરે પગથીયા ઉપરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને માથામાં અને શરીરને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું અને તેના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી ન્મહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા શેરસિયા હુસેનભાઇ જીવાભાઈ (ઉમર ૫૮) પોતાના ઘરે હતા ત્યારે તે પોતાના ઘરે સીડીના પગથીયા ઉપરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે મહમદભાઈ હુસેનભાઇ લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં વૃદ્ધને ઇજા

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા અલારખાભાઈ ઈશાભાઈ ચાનિયા નામના ૭૭ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાંથી બનાવની જાણ થતા તાલુકા પોલીસે નોંધ કરી આ અંગે આગળની તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યુ હતું કે તા.૯ ના સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં અલારખાભાઈ ચાનીયા બાઇક લઈને ધરમપુર ગામના પાટીયાની સામેના રોડ ઉપરથી જતા હતા ત્યારે પાછળના ભાગેથી અજાણ્યા કાર ચાલકે તેમના બાઇકને હેડફેટે લીધું હતું જેથી કરીને સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં તેમને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા છે.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે રહેતા રજાકભાઈ દાઉદભાઈ કોબીયા નામના ૪૦ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યુ હતું કે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની પાસે સોમનાથ પેટ્રોલ પંપ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રજાકભાઈને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News