તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે ઘરમાં પગથિયા ઉપરથી પડી જતાં વૃદ્ધનું મોત


SHARE











વાંકાનેરના તીથવા ગામે ઘરમાં પગથિયા ઉપરથી પડી જતાં વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા વૃદ્ધ પોતાના ઘરે પગથીયા ઉપરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને માથામાં અને શરીરને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું અને તેના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી ન્મહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા શેરસિયા હુસેનભાઇ જીવાભાઈ (ઉમર ૫૮) પોતાના ઘરે હતા ત્યારે તે પોતાના ઘરે સીડીના પગથીયા ઉપરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે મહમદભાઈ હુસેનભાઇ લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં વૃદ્ધને ઇજા

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા અલારખાભાઈ ઈશાભાઈ ચાનિયા નામના ૭૭ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાંથી બનાવની જાણ થતા તાલુકા પોલીસે નોંધ કરી આ અંગે આગળની તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યુ હતું કે તા.૯ ના સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં અલારખાભાઈ ચાનીયા બાઇક લઈને ધરમપુર ગામના પાટીયાની સામેના રોડ ઉપરથી જતા હતા ત્યારે પાછળના ભાગેથી અજાણ્યા કાર ચાલકે તેમના બાઇકને હેડફેટે લીધું હતું જેથી કરીને સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં તેમને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા છે.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે રહેતા રજાકભાઈ દાઉદભાઈ કોબીયા નામના ૪૦ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યુ હતું કે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની પાસે સોમનાથ પેટ્રોલ પંપ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રજાકભાઈને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News