મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના ચુપણી નજીક વીજ કંપનીનો ચાલુ વાયર તૂટી પડતાં ૨૧ અબોલ દૂધાળા પશુના મોત


SHARE











હળવદના ચુપણી નજીક વીજ કંપનીનો ચાલુ વાયર તૂટી પડતાં ૨૧ અબોલ દૂધાળા પશુના મોત

હળવદના ચુપણી ગામ નજીક આજે વીજ કંપનીનો ચાલુ વીજ વાયર તૂટી પડ્યો હતો ત્યારે નીચેથી પસાર થતી ગાયો અને ભેંસો તેને અડકી ગયેલ હતી જેથી કરીને અકે કે બે નહીં પરંતુ ૧૬ ભેંસ અને ૫ ગાયના મોટા થયેલ છે જેથી કરીને દૂધાળા પશુના મોત થતાં માલધારીઓની મુશ્કેલીમાં વધારો થયેલ છે ત્યારે વીજ કંપની તરફથી માલધારીઓને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે

હળવદના ચુપણી ગામના વશરામભાઇ ભવાનભાઈ ભરવાડ અને મુન્નાભાઈ કલાભાઇ ભરવાડ પોતાની ગાયો અને ભેંસોને ચરાવવા માટે જતાં હતા ત્યારે વીજ કંપનીની ઇલેવન કેવીની લાઇનનો ચાલુ વાયર તૂટીને પડ્યો હતો અને તેને અબોલ જીવ ગાય અને ભેંસ અડકી જતાં ૨૧ દૂધાળા પશુના મોત થયા છે જેમાં ૧૬ ભેંસ અને ૫ ગાયનો સમાવેશ થાય છે અત્રે ઉલેખનીય છે કે, આ દૂધાળા પશુ આધારે બંને માલધારીઓના પરિવારનો નિર્વાહ ચાલતો હતો ત્યારે આ ઘટનાથી તે બંને પરિવાર ઉપર મોટી આફત આવી પડેલ છે ત્યારે બંને માલધારીઓને સરકાર તરફથી અને વીજ કંપની તરફથી સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે વધુમાં મળતી માહિતી મુજબ આ ઘટનામાં વસરામભાઈ ભવાનભાઈ ભરવાડની ૧૧ ભેંસ અને ૫ ગાયના મોત થયેલ છે જયારે મુન્નાભાઈ કલાભાઈ ભરવાડની ૫ ભેંસના મોત થયા છે






Latest News