મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધા માટે વ્યાજે લીધેલ રૂપિયાનું તોતિંગ વ્યાજ વસૂલ કરવા માટે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં ધંધા માટે વ્યાજે લીધેલ રૂપિયાનું તોતિંગ વ્યાજ વસૂલ કરવા માટે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ નીતિન પાર્કમાં રુદ્રપ્રયાગ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને પોતાના ચાની ભૂકીના ધંધા માટે થઈને વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજખોરોને વ્યાજની રકમ મોટાભાગની ચૂકવાઇ ગઇ હોવા છતાં પણ વ્યાજનું વ્યાજ ગણીને તેની પાસેથી વ્યાજ અને મુડીની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રુદ્રપ્રયાગ એપાર્ટમેન્ટના બ્લોક નં-૬૦૩ માં રહેતા મિલનભાઈ જયંતીભાઈ અગોલા જાતે પટેલ (૩૦) ચાની ભૂકીનો વેપાર કરતા હોય ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હતી જેથી કરીને તેના મિત્ર મિલનભાઈ નેસડા વાળાને વાત કરી હતી જેથી કરીને તે પ્રવીણભાઈના સંપર્કમાં આવ્યા હતા અને પ્રવીણભાઈ પાસેથી તેઓએ રોજના ૭૦૦ લેખે વ્યાજ આપવાનું નક્કી કરીને ૬ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે અત્યાર સુધીમાં ૫.૫૦ લાખ રૂપિયા તેને ચૂકવી દીધા છે અને આઇડીબીઆઇ બેન્કના બે કોરા ચેક તેને આપેલા છે તેમ છતાં પણ તેના ઘરે અવારનવાર આવીને આઠ લાખ રૂપિયાની ઉઘરાણી તેની પાસે કરીને ગાળો આપીને ધમકીઓ આપવામાં આવી રહી છે આવી જ રીતે ધંધાની જરૂરિયાત માટે તેણે દેવશીભાઈ ખાનપર વાળા પાસેથી બે લાખ રૂપિયા ૧૦ ટકાના વ્યાજે લીધા હતા અને જેનું માસિક વ્યાજ ૨૦૦૦૦ તે ચૂકવતા હતા અત્યાર સુધીમાં દેવશીભાઈને ૧.૨૦ લાખ ચૂકવી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ તેના દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ રૂપિયાની જરૂરિયાત માટે તેણે સુરેશભાઈ ખાખરાળા પાસેથી ૩ લાખ રૂપિયા દૈનિક એક લાખે ૭૫૦ વ્યાજ આમ કુલ એક દિવસમાં ૨૨૫૦ રૂપિયા તે ચૂકવતા હતા અને અત્યાર સુધીમાં તેણે લીધેલા વ્યાજના પૈસા સામે ૨.૪૦ લાખની રકમ ચૂકવી દીધી છે તેમ છતાં પણ તેની પાસેથી ત્રણ લાખની માંગણી કરવામાં આવી રહી છે અને આ ત્રણેય શખ્સો અવારનવાર તેના ઘરે આવીને તેને તેમજ તેના પત્નીને જેમ ફાવે તેમ ગાળો આપીને રૂપિયા નહીં આપે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપતા હતા અને ફોન ઉપર પણ ધમકીઓ આપતા હતા જેથી યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ લઈને પોલીસે વ્યાજખોરોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News