ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યો-પત્રકાર એસો.ના સભ્યોનું કરાશે સન્માન


SHARE







મોરબીના પરશુરામ ધામ ખાતે ધારાસભ્યો-પત્રકાર એસો.ના સભ્યોનું કરાશે સન્માન

મોરબીના પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યો અને પત્રકાર એસો. મોરબીના હોદેદારો તેમજ તમામ સભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૮/૧ ના રોજ સાંજે આ કાર્યક્ર્મ યોજવાનો છે જેથી કરીને તેમાં બ્રહ્મ સમાજના તમામ બ્રહ્મબંધુ અને ભગીનીઓને હાજર રહેવા માટે ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે

મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે કે, ભગવાન પરશુરામજીના આશીર્વાદથી મોરબી જિલ્લાની ચારેય બેઠક ઉપર ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલ છે ત્યારે કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાના સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ પત્રકાર એસો. મોરબીના હોદેદારો તેમજ તમામ સભ્યોનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમ આગામી રવિવાર તા. ૮/૧ ના રોજ સાંજે પાંચ વાગ્યે પરશુરામ ધામ મોરબી મુકામે રાખેલ છે ત્યારે કાંતિભાઈ અમૃતિયાની સાકર તુલા પણ કરવામાં આવશે તેવું ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે






Latest News