તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સોશ્યલ મીડિયા અવેરનેશ-પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી માટે સેમિનાર યોજાશે


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સોશ્યલ મીડિયા અવેરનેશ-પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી માટે સેમિનાર યોજાશે

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો સૌથી વધુ યુવાનો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાની એક એક ક્ષણની અપડેટ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ જાહેર કરી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં કોઈપણ પોસ્ટ મુકતા સમયે કેટલા એલર્ટ રહેવું પડે ? અને કોઈ પણ સમયે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ પોસ્ટ પછી કેવા કેવા પરિણામો આવી શકે ? તેની જાગૃતિ માટે તેમજ પત્રકારત્વ ક્ષેત્રે આગળ વધવા માટે વિદ્યાર્થીઓએ કઈ પ્રકારની તૈયારીઓ કરવાની જરૂર છે તેની માહિતી આપતા એક સેમીનારનું મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં પત્રકાર એસોસિએશન મોરબીના હોદેદારો અને તમામ સભ્યો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓને માર્ગદર્શન અને માહિતી આપવામાં આવશે

છેલ્લા વર્ષોમાં સોશિયલ મીડિયાના આક્રમણના કારણે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને યુવાનો સોશિયલ મીડિયામાં પોતાના જીવનની અમૂલ્ય ક્ષણો વધુમાં વધુ વેડફતા હોય છે ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા યુવાનોએ કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ ?, સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ પોસ્ટના કેવા કેવા પરિણામો આવી શકે ? અને ક્ષણે ક્ષણની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ જાહેર કરતા યુવાનો સહિતના લોકોએ શું શું તકેદારી રાખવી જોઈએ આ તમામ માહિતી આજના યુવાનોને આપવા માટે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં કેસરબાગ પાસે આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે આગામી શનિવારે તા. ૭ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ધો. ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે સોશિયલ મીડિયા અવેરનેશ અને પત્રકારક ક્ષેત્રે કઈ રીતે કારકિર્દી કરી શકાય તેનું માર્ગદર્શન આપવા માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સેમિનારમાં પત્રકાર એસોસિએશન મોરબીના હોદેદારો તેમજ તમામ સભ્યો હાજર રહેશે અને તેમના દ્વારા વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના અતિરેકથી ભવિષ્યમાં થઈ શકે તેવા નુકસાનો અંગે જાગૃત કરવામાં આવશે તેમજ પત્રકારત્વ ક્ષેત્રે આગળ વધવા માટે કઈ પ્રકારની તૈયારીઓ અત્યારથી જ કરવામાં આવે તો ભવિષ્યમાં પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવશે તેવું સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લએ માહિતી આપતા જણાવ્યું છે






Latest News