ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા શૈક્ષણિક સંસ્થાઓની પાલિકામાં રજૂઆત


SHARE











મોરબીના શનાળા રોડ ઉપર શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા શૈક્ષણિક સંસ્થાઓની પાલિકામાં રજૂઆત

મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગની સામે ઓમશાંતિ વિદ્યાલય, ઓમ વી.વી.આ. કોલેજ તથા ડો. જયંતીભાઈ ભાડેસિયાના દવાખાના પાસે શાકમાર્કેટ ભરાઈ છે જે કોરોના સમયે ત્યાં લઈ જવામાં આવી હતી અને તે સમયે શાળાઓ બંધ હતી જો કે, હાલમાં શાળા કોલેજ શરૂ કરવામાં આવેલ છે જેથી કરીને વિદ્યાર્થી અને શાળાના વાહનોને પાર્ક કરવામાં મુશ્કેલી થાય છે જેથી આ શાક માર્કેટ અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવી છે

સરકાર કોવિડ ૧૯ બાબતે ખાસ કરીને બાળકોમાં શિક્ષણ બાબતે ચિંતિત છે અને હાલમાં સરકારની મંજૂરીથી શાળાઓ ચાલુ કરવામાં આવી છે જો કે, કોરોના સમયે શનાળા રોડ ઉપર જે માર્કેટ ચાલુ કરવામાં આવી હતી તેની આજુબાજુમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલ છે જેથી કરીને તે બાળકો માટે ઘાતક સાબિત થાય તેમ છે કેમ કે બાળકોને વેકસીન અપાયેલ નથી અને સવારમાં માર્કેટમાં ભીડ કોઈપણ ગાઈડ લાઈનને અનુસરતી નથી અને તે જ સમયે તે રોડ પરથી આશરે ૫૦૦૦ બાળકો ઓમશાંતિ વિદ્યાલય, ઓમશાંતિ અંગ્રેજી મીડીયમ, ન્યુ ઓમશાંતિ, માસુમ વિદ્યાલય, ઓમવીવીઆઈ કોલેજ, કન્યા છાત્રાલય, નવયુગ વિદ્યાલય, તપોવન વિદ્યાલય માટે જતાં હોય છે આ મહામારીનો ભોગ બાળકો મ બને તે માટે માર્કેટ અહીથી દૂર કરવામાં આવે તે જરૂરી છે

હાલમાં જે માર્કેટ ભરાઈ છે તેના કારણે સવારમાં શાકમાર્કેટમાં આવતા લોકો અને શાકભાજી વાળાઓ પોતાના વાહનો આડેધડ પાર્ક કરે છે ઘણી વખત શાળા અને હોસ્પિટલમાં આવવાના રસ્તા વચ્ચે વાહન પાર્ક થાય છે કોઈ ઈમરજન્સી પેશન્ટ હોસ્પિટલ સુધી પહોચી ન શકે તેવી સ્થિતી સર્જાય છે, કોલેજ અને શાળામાં વિદ્યાર્થીઓ પોતાની સાયક્લો અને વાહન પાર્ક સવારે માર્કેટવાળ ગ્રાઉન્ડમાં કરે છે જે પાર્કીગ ન થવાથી વાહનો રોડ પર પાર્ક કરવા પડે છે, સંભવિત ત્રીજી લહેર આવે તો આ માર્કેટ ચેપ ફેલાવવાની એન્ટ્રી બની શકે છે, શનાળા રોડ પરથી સવારના સમયે પસાર થતા લોકો માટે પણ આ માર્કેટ ટ્રાફીક સમસ્યા રૂપ બને છે, માર્કેટમાં આવતા વેપારીઓ પાછળ કચરો છોડી જાય છે અને કચરાના ઢગલા થાય છે જે બાળકોના સ્વાથ્ય માટે નુકશાનકારક છે ત્યારે જો હવે આ માર્કેટને બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ચાલવાનો રસ્તો એક માત્ર વિકલ્પ બની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News