તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ગૌશાળા-જીર્ણોદ્ધારના લાભાર્થે લોક ડાયરો યોજાશે


SHARE











વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ગૌશાળા-જીર્ણોદ્ધારના લાભાર્થે લોક ડાયરો યોજાશે

વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની ગૌશાળા અને જીર્ણોદ્ધારના લાભાર્થે ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લોક ડાયરામાં જાણીતા કલાકાર સાગરદાન ગઢવી, પુનમબેન ગોંડલીયા સહિતના જમાવટ કરશે ત્યારે ધર્મપ્રેમી જનતાને ડાયરાને માણવા માટે ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે 

મોરબી વાંકાનેર વચ્ચે રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં દેશ-વિદેશના લોકો શિવજીના દર્શન અને પૂજન કરવા માટે આવતા હોય છે જોકે, સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ વાંકાનેર અને ઉત્સવ સમિતિ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા ગૌશાળા અને જીર્ણોદ્ધારના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આગામી તા. ૧૪/૧/૨૦૨૩ ને શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે સ્વ. વિજેશભાઈ ડાયાભાઈ દેથરીયા પરિવાર તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે અને આ ભવ્ય લોક ડાયરામાં ગુજરાતના જાણીતા કલાકાર સાગરદાન ગઢવીનું ગ્રુપ તેમજ પૂનમબેન ગોંડલીયા અને તેના સાજીદાઓ દ્વારા જમાવટ કરવામાં આવશે ત્યારે મંદિરની ગૌશાળા અને મંદિરના જીર્ણોદ્ધારના લાભાર્થી યોજાતા આ લોક ડાયરામાં ધર્મપ્રેમી જનતાને અને દાતાઓને બહોળી સંખ્યામાં હાજર રહેવા અને ડાયરાની મોજ માણવા માટે થઈને ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેવું મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે






Latest News