મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મારા મારીનો બનાવ હત્યામાં પલટાયો: છરીના ઘા ઝીકતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીમાં મારા મારીનો બનાવ હત્યામાં પલટાયો: છરીના ઘા ઝીકતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી મંદિર પાસે થોડા દિવસો પહેલા રેલવેના પ્લેટફોર્મની બાજુમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનને પેટબેઠક અને વાસાના ભાગે છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા અને બીજા યુવાનને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા બંને યુવાનને મોરબીથી વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન એક યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને માર મરીનો આ બનાવ હત્યામાં પલટાયો છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવે ગણેશનગરમાં રહેતા પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી (૨૫) અને ઉમિયા ચોક પાસે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા જીતેશભાઈ કાંતિભાઈ કાંજીયા (૨૦) ને થોડા દિવસો પહેલા માર મારવામાં આવ્યો હતો અને ત્યારે પપ્પીભાઈને પેટબેઠક અને વાસાના ભાગે છરીના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા માટે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમ્યાન પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી (૨૫)નું મોત નીપજયું છે જેથી કરીને મારા મારિનો બનાવ હત્યામાં પલટાયો છે

અત્રે ઉલેખનીય છે કે, નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસે થોડા દિવસો પહેલા રાત્રે નવ વાગ્યાના અરસામાં પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી અને જીતેશભાઈ કાંતિભાઈ કાંજીયા ઉપર રેલવેના પ્લેટફોર્મની બાજુમાં ભદુ ઉર્ફે અર્જુનપ્યારું તથા તેની સાથે આવેલ વ્યક્તિએ ઝઘડો કરીને છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે પપ્પીભાઈને પેટબેઠક અને વાસાના ભાગે છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા અને જીતેશભાઈને લાકડી વડે માર માર્યો હતો જેથી બંને ઇજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી (૨૫) નું મોત નીપજયું છે જેથી રેલ્વે પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News