મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના જેતપર ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે આદિવાસી યુવાન ઝેરી દવા પી ગયો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર ગામે રહીને ખેત મજૂરી કામ કરતાં કાંતિભાઈ ગણપતભાઇ નાયક જાતે આદિવાસી નામનો ૪૦ વર્ષનો યુવાન થોડા દિવસો પહેલાં ઝેરી દવા પી ગયો હતો જેથી તેને જેતપરના પીએચસી ખાતે સારવારમાં ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન કાંતિભાઇ આદીવાસીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. બનાવ સંદર્ભે બીટ વિસ્તારના જમાદાર આર.બી.વ્યાસ તપાસ ચલાવી રહ્યા છે.તેમના જણાવ્યા પ્રમાણે મૃતકને તેના વતનમાં દેવું થઈ ગયું હોય તે વાતના ટેન્શનમાં તેણે ઉપરોક્ત અંતિમ પગલું ભર્યું હોય તેવું હાલ તપાસમાં ખુલ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ભરતનગર અને લક્ષ્મીનગર વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આઈ ટેન કાર ટ્રકની સાથે અથડાતા સુરેન્દ્રનગર જિલ્લાના લીયા નજીક આવેલા ભૃગુપુર ગામે રહેતા મરિયમબેન વાહીદભાઈ શાહમદાર અને મયુદ્દીનભાઈ મહેબુબભાઇ દિવાન નામની બે વ્યક્તિઓને ઇજાઓ થવાથી શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

યુવતી સારવારમાં

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી આરતીબેન ધનજીભાઈ રાણવા નામની અઢાર વર્ષીય યુવતી કોઇ અજાણી દવા પી જતાં તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી બનાવને પગલે બીટ વિસ્તારના જમાદાર જે.જે.ડાંગરે તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબી તાલુકાના ખાનપર ગામે પ્રકાશભાઈ તળસીભાઇની વાડીએ થયેલ મારામારીના બનાવમાં ઘવાયેલા દિનેશ છગનભાઈ પોલાર નામના ૨૫ વર્ષીય યુવાનને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News