હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં ઘનશ્યામપુરમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન કેદ: એક નિર્દોષ


SHARE











હળવદ તાલુકાનાં ઘનશ્યામપુરમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન કેદ: એક નિર્દોષ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ઘનશ્યામપુર ગામમાં વર્ષ ૨૦૧૬ માં ખેડૂતની માથે બોલેરો ચડાવીને તેની હત્યા કરવામાં આવી હતી જેની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડ્યા હતા અને આ કેસ મોરબીની સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટેમાં ચાલી ગયો હતો જેમાં બે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે

હળવદના ઘનશ્યામપુર ગામે પોતાની જમીન પર કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડ અને તેના પરિવારના સભ્યો ગત તા.૩૧/૫/૨૦૧૬ ના રોજ ખેતીકામ કરતા હતા. ત્યારે નાગજીભાઈ લખમણભાઈ બાંભવા, વિનોદભાઈ ઉર્ફે વીનુંભાઈ અમરશીભાઈ રાતોજા અને ધીરુભાઈ ગોવિદભાઈ પટોળીયાએ કિશોરભાઈને જમીન ખાલી કરવાની ધમકી આપી હતી અને જમીન ખાલી ન કરતા કિશોરભાઈ રાઠોડની જમીન પચાવી પડવા આરોપીએ બોલેરો ગાડી તેની ઉપર ચડાવી દીધી હતી ત્યારે ખેતીકામ કરતા કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડનું મોત નીપજ્યું હતું. જેથી કરીને નટુભાઈ વાલજી રાઠોડે ત્રણ શખ્સો સામે હત્યા અને હત્યાની કોષોશીની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને આ હત્યાનો કેસ મોરબીની સ્પેશલ એટ્રોસીટી કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવેએ ૨૨ મૌખિક પુરાવા અને ૩૮ દસ્તાવેજી પુરવા રજૂ કર્યા હતા તેને ધ્યાને લઇને કોર્ટે આરોપીઓ નાગજીભાઈ લખમણભાઈ બાંભવા અને વિનોદભાઈ ઉર્ફે વીનુંભાઈ અમરશીભાઈ રાતોજાને આજીવન કેદ અને ૨૫ હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને આરોપી ધીરુભાઈ ગોવિદભાઈ પટોળીયાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે






Latest News