મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

ઝુલતા પુલ દુર્ઘટના મુદે મોરબી પાલિકા સુપરસીડ ન કરવા ૪૬ સભ્યોની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











ઝુલતા પુલ દુર્ઘટના મુદે મોરબી પાલિકા સુપરસીડ ન કરવા ૪૬ સભ્યોની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટના મુદે હાઇકોર્ટમાં સુઓમોટો અને પીએલઆઈની સુનાવણી ચાલી રહી છે ત્યારે મોરબી પાલિકા સુપરસીડ થાય તેવી સ્થિતિ છે તેવામાં મોરબી પાલિકાના ચૂંટાયેલા બાવન પૈકી ૪૬ જેટલા સભ્યોએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે જેમાં મોરબી પાલિકાને સુપરસીડ ન કરવાની માંગ કરી છે

મોરબી પાલિકાના ૪૬ સભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ઝૂલતા પુલ તુટી જવાની ઘટનામાં તેઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંય પણ સંડોવણી નથી અને પાલિકા તેમજ ઓરેવા કંપની વચ્ચે થયેલ કરારમાં તેઓની ક્યાંય સહી પણ નથી જેથી કરીને પાલિકાને સુપરસીડ કરતા પહેલા ન્યાયના હિતમાં અને પ્રજાના હીતમાં નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરી છે અને આ ઘટનામાં કસુરવાન સામે પગલા લેવામાં આવે તેવી પણ માંગ કરી છે

મોરબી પાલિકાએ ઓરેવા કંપની સાથે જે કરાર કરેલ છે તેમાં પાલિકાના ચીફ ઓફિસરની સહી છે અને ત્યાર બાદ જનરલ બોર્ડમાં આ ઠરાવને લેવા માટે જે રોજકામ કરવામાં આવ્યું હતું તેમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર દ્વારા સહી કરવામાં આવી છે જો કે, આ ઝૂલતા પુલના કરાર બાબતનો ઠરાવ જનરલ બોર્ડમાં લેવામાં આવેલ નથી આ મુદ્દે કોર્ટના આકરા વલણ બાદ સરકાર મોરબી પાલિકાને સુપર સીડ કરવાની તૈયારીમાં છે. ત્યારે પાલિકાના સભ્યોએ સામૂહિક રીતે લેખિતમાં રજૂઆત કરી પાલિકાને સુપરસીડ કરવામાં આવે તેના બદલે કસુરવાન સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે






Latest News