મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

આવકારદાયી નિર્ણય : મોરબીમાં દીકરાના ગોત્રીજમાં આવેલ રકમ વૃદ્ધાશ્રમ-અનાથાશ્રમમાં આપી


SHARE







આવકારદાયી નિર્ણય : મોરબીમાં દીકરાના ગોત્રીજમાં આવેલ રકમ વૃદ્ધાશ્રમ-અનાથાશ્રમમાં આપી

મૂળ ખીરઈ ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા હર્ષદભાઈ ભાણજીભાઈ કાચરોલા કે જેઓ એલાઇન્સ વિટ્રીફાઈડ કંપનીમાં ભાગીદાર છે તેમના પુત્ર રવિ અને પુત્રવધુ શીતલને ત્યાં દીકરો જન્મ થતા તેના  ગોત્રીજ અને નામકરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગમાં પરિવાર દ્વારા ખૂબ જ આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે આવેલા તમામ લોકો તરફથી જે પણ કંઈ રકમ ભેટ સોગાત તરીકે મળી હતી તે તમામ રકમ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મળેલ તમામ રકમ હર્ષદભાઈ ભાણજીભાઈ કાચરોલાના પરિવારે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ આપી દીધેલ છે.






Latest News