તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના શારદાનગર ગામની એસટીની બસ ફરી ચાલુ કરવાની માંગ


SHARE











મોરબીના શારદાનગર ગામની એસટીની બસ ફરી ચાલુ કરવાની માંગ

મોરબીના જુદાજુદા ગામડેથી વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે મોરબી આવતા હોય છે આવી જ રીતે મોરબીના શારદાનગર ગામથી ઘણા વિદ્યાર્થીઓએ મોરબી અભ્યાસ કરવા માટે આવે છે અને તે બસમાં ગોર ખીજડીયા ગામેથી વિદ્યાર્થીઓએ અને ગ્રામજનો મોરબી આવજા કરતાં હોય છે તો પણ આ બસને બંધ કરવામાં આવી છે જેથી કરીને ગોર ખીજડીયા ગ્રામ પંચાયત સરપંચ ગૌતમભાઈ મોરડિયાએ મોરબીના ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી  છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગોર ખીજડીયા અને વનાળીયા ગામના વિદ્યાર્થીને સવારે શારદાનગર રૂટની એસટીની બસમાં અપડાઉન કરતાં હતા જો કે આ બસને થોડા સમયથી બંધ કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને બંને ગામમાંથી અંદાજે ૬૦ જેટલા વિદ્યાર્થીઓ નિયમિત રીતે આ બસમાં અપડાઉન કરે છે જેથી વિદ્યાર્થીઓની સુવિધા માટે આ બસને શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News