મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના વાકિયા પાસે મિત્રનો મોબાઇલ પાછો અપાવનારા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE











વાંકાનેરના વાકિયા પાસે મિત્રનો મોબાઇલ પાછો અપાવનારા યુવાન ઉપર છરી વડે હુમલો

વાંકાનેર નજીક આવેલ વાકિયા ગામ પાસે મિત્રનો મોબાઇલ લેનાર શખ્સને મોબાઈલ પરત આપવા માટે કહ્યું હતું જે તેને સારું નથી લાગતા તે શખ્સે યુવાનની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાનને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને આ બનાવની સારવાર લીધા બાદ ઇજાગ્રસ્ત યુવાને એક શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં સ્મશાન પાસે રહેતા શાહરુખભાઈ ઈકબાલસા દિવાન જાતે ફકીર (૨૧)એ હાલમાં અલ્તાફભાઈ દિલાવરભાઈ ખેરડીયા ઉર્ફે કડી રહે. વાંકાનેર જલારામ જીનવાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેરના વાકિયા ગામ પાસે તેના મિત્ર દીપુનો મોબાઇલ અલ્તાફે જોવા માટે લીધો હતો અને તે મોબાઈલ દીપુને પરત આપવા માટે થઈને તેને ફરિયાદી યુવાને કહ્યું હતું જે તેને સારું લાગ્યું ન હતું અને અલ્તાફે ઉશ્કેરાઈ જઈને શાહરૂખને ગાળો આપી હતી અને ફરિયાદીએ તેના મિત્ર દીપુને તેનો મોબાઈલ પરત અપાવ્યો હતો તે બાબતનો ખાર રાખીને તેની સાથે માથાકૂટ કરી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા અલ્તાફે તેની પાસે રહેલ છરી શાહરૂખને પેટના ભાગે મારી દીધી હતી જેથી કરીને શાહરૂખને ઈજા થતાં તેને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ શાહરૂખ દીવાને હાલમાં અલ્તાફ ખેરડિયાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News