તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની જલારામ સોસાયટી પાસેથી દારૂની આઠ બોટલ ઝડપાઇ, બે બુટલેગરની શોધખોળ


SHARE











મોરબીની જલારામ સોસાયટી પાસેથી દારૂની આઠ બોટલ ઝડપાઇ, બે બુટલેગરની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી પાસેથી બે શખ્સો ઉભ હતા ત્યારે પોલીસ તેની પાસે જતાં તે શખ્સો તેના હાથમાં રહેલ થેલિને ત્યાં છોડીને ભાગી ગયા હતા જેથી કરીને પોલીસે તે થેલીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની આઠ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૭૨૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે જોકે આરોપીઓ પોલીસને ચકમો આપીને ત્યાંથી નાસી ગયા હોય હાલમાં પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી બે શખ્સો ઊભા હતા ત્યારે રાઉન્ડમાં નીકળેલ પોલીસ જવાનો તેની તરફ આગળ વધતાં આ શખ્સો તેની પાસે રહેલ થેલીને ત્યાં ફેંકીને જતાં રહ્યા હતા જેથી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તે થેલીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે થેલીમાંથી દારૂની આઠ બોટલ મળી આવી હોય પોલીસે ૨૭૨૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસને ચકમો આપીને મહેબૂબ ઉર્ફે મેબલો સરમણભાઇ ઉર્ફે બાબુભાઈ સુમરા જાતે સંધિ રહે. નવલખી રોડ લક્ષ્મીનારાયણ સોસાયટી પાછળ મોરબી અને સાગર કાંતિભાઈ પલાણ જાતે લોહાણા રહે. નવલખી રોડ જલારામ સોસાયટી વાળા નાસી ગયા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરે છે

હાર્ટ એટેકથી મોત

મોરબી નજીકના ભરતનગર ગામે રહેતા કાંતીલાલ કાનજીભાઇ વાઘરીયા (૫૮) ગઇકાલે તેની વાડીએ હતા ત્યારે તેને વાડીએ જ હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેને મૃત હાલતમાં તેનો દીકરો મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News