મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

સંવેદના: મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓના મોક્ષર્થે ભાદરવી પૂનમે મોરારીબાપુની રામકથા યોજાશે


SHARE











સંવેદના: મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓના મોક્ષર્થે ભાદરવી પૂનમે મોરારીબાપુની રામકથા યોજાશે

મોરબી ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્ર્મ યોજાયો હતો ત્યારે કથાકાર મોરારીબાપુએ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતના  મોક્ષર્થે કથા આપવાની જાહેરાત કરી હતી અને આગામી તા.૩૦ સપ્ટેમ્બરને ભાદરવી પૂનમથી તા ૮ ઓક્ટોમ્બર સુધી મોરબીમાં કબીર આશ્રમની સામેના ભાગમાં મોરારીબાપુની રામકથા યોજાશે.

ગત તા ૩૦ ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ લોકોનો મોત નિપજ્યાં હતા જેથી કરીને આ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કબીર આશ્રમ પાસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક સંતો મહંતો આવ્યા હતા ત્યારે રામ કથાકાર મોરારીબાપુએ  મોરબીમાં દિવંગતના  મોક્ષર્થે કથા આપવાની જાહેરાત કરી હતી આ દુર્ઘટનાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ મોરબીમાં કથા યોજાશે હાલમાં કબીર આશ્રમના સંત શિવરામદાસ બાપુએ જણાવ્યું છે કે, મોરારીબાપુએ આગામી તા. ૩૦ સપ્ટેમ્બર એટલે કે ભાદરવી પૂનમે મોરબીના કબીર આશ્રમ સામેના મેદાનમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે રામકથા આપી છે જેથી કરીને તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે






Latest News