મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન


SHARE











મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનએસએસ યુનિટના સ્વયંસેવકો તથા કોલેજના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના અધ્યાપક ડો. અનિલસિંહ રાજપુતે મતદાનના મહત્વની ઊંડી સમજ આપી હતી જેથી કરીને યુવાનોએ મતદાતાઓને વધુને વધુ મતદાન કરી લોકશાહીને વધુ સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો. અને સ્વયંસેવકોએ નેહરુગેટ, શાકમાર્કેટ, ગાંધી ચોક, જુના બસ સ્ટેન્ડ વગેરે સ્થળોએ મતદાન માટે પ્રેરણા રૂપ સૂત્રો પ્રદર્શન કરી વધુ મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા જેથી કરીને કોલેજના પ્રિન્સિપાલ પ્રો. કે.આર. દંગી, પ્રોગ્રામ ઓફિસર ડૉ. આર. કે. વારોતરીયા સહિતનાઓએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા






Latest News