મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામે ગળેફાંસો ખાતા યુવાનનું મોત


SHARE













મોરબીના જુના નાગડાવાસ ગામે ગળેફાંસો ખાતા યુવાનનું મોત

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા યુવાને તેની વાડીએ જઈને કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ લેતાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે ગામની સીમમાં આવેલી વાડીએ ધીરૂભાઈ ભવનભાઈ રાઠોડ (ઉમર ૪૮) રહે.જુના નાગડાવાસ તા.જી.મોરબી એ ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને ધીરૂભાઇનું મોત નીપજતાં તેમના મૃતદેહને પીએમ માટે અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે બનાવની નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના તીથવામાં જુગાર રમતાં ચાર પકડાયા

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તીથવા ગામે આવેલ લાલસાનગરની ધાર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલ મનોજ ઉર્ફે મુન્નો લક્ષ્મણ સીતાપકા કોળી (૩૧), રામા સામત ફાંગલીયા ભરવાડ (૩૫), મુકેશ ગેલા ફાંગલીયા ભરવાડ (૩૪) અને રહીમશા ફરીદશા શાહમદાર ફકીર (૬૫) રહે.ચારેય તીથવા ધાર વિસ્તાર તા.વાંકાનેરની રોકડા રૂપિયા ૧૪,૫૦૦ સાથે ધરપકડ કરી ચારેય વિરૂદ્ધ જુગારધારા કલમ ૧૨ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

ત્રણ લોકો સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા હિતેશભાઈ પ્રકાશભાઈ ભટ્ટી (૪૩) તેમનાં પત્ની દિપ્તીબેન (૪૦) અને તેમનો પુત્ર હર્ષદ (૧૪) ત્રણેય લોકો બાઈકમાં બેસીને કંડલા બાયપાસ પાસેથી જતા હતા ત્યાં કામધેનુ પાર્ટી પ્લોટ નજીક તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ત્રણેય ઈજાગ્રસ્તોને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હોવાનું મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પાસેથી જાણવા મળેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News