હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી : સંસ્કૃત ભારતીનો સંભાષણ વર્ગ સમન્ન થયો


SHARE











મોરબી : સંસ્કૃત ભારતીનો સંભાષણ વર્ગ સમન્ન થયો

સંસ્કૃત ભારતી મોરબીના જનપદ સંયોજક કિશોરભાઈ શુકલ અને મયુરભાઈ શુકલે યાદીમાં જણાવેલ છે કે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતીય સંસ્કૃત પ્રબોધન વર્ગ તા.૩૦-૧૦ થી તા.૪-૧૧ દરમિયાન મોરબી મુકામે સર્વોપરી સંકુલ-ભરતનગર ખાતે પરિપૂર્ણ થયો છે.૮ શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણકાર્ય, ૭ પ્રબંધકો દ્વારા વ્યવસ્થા, પ્રાંત અધ્યક્ષ (ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ) જયશંકરભાઈ રાવલજી સહિત ૧૦ સંસ્કૃત ભારતી અધિકારીના માર્ગદર્શન અને ૬૫ સંસ્કૃત અનુરાગીઓની સંસ્કૃત શિખવાની ઉત્કંઠનાથી વર્ગ સાર્થક રીતે સફળ રહ્યો છે.

આ વર્ગમાં સવારના ૬:૩૦ વાગ્યે એકાત્મક સ્તોત્ર-પ્રાણાયામ ત્યારબાદ અલ્પાહાર, બપોર સુધી સંસ્કૃત અભ્યાસ, ભોજન-વિશ્રાંતિ, ફરી સંસ્કૃત અભ્યાસ, સાંજે સંસ્કૃત રમતો, રાત્રે ભોજન બાદ અલગ અલગ સંસ્કૃત  આધારિત કાર્યક્રમો જેમાં સંસ્કૃત ગીત સ્પર્ધા, પ્રશ્નમંચ, હાસ્ય કણિકા, નાટક વગેરે અને ૧૦ વાગ્યે રાત્રે દીપનીમિલન આ પ્રકારે પાંચ દિવસમાં ખુબ સુંદર રીતે સંસ્કૃત સંભાષણ વર્ગ સંપન્ન થયો હતો. ૬૫ જેટલા શિક્ષાર્થીઓ સંસ્કૃતમાં સંભાષણ કરતા થયા. આ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા તેમજ સંસ્કૃત ભારતી મોરબીના અધ્યક્ષ વિપુલભાઈ શુકલ ઉપસ્થિત રહ્યા હતા.વર્ગના સમાપન કાર્યક્રમમાં સંઘ વિભાગ કાર્યવાહ વિપુલભાઈ અઘારા અને સર્વોપરી સંકુલના ટ્રસ્ટી હસમુખભાઈ ગઢિયા હાજર રહ્યા હતા.તા.૩૧ ના રોજ વર્ગમાં  ઉપસ્થિત તમામ સંસ્કૃત અનુરાગી દ્વારા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના હતભાગીઓને  સ્મૃતિ-શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

અખિલ ભારતીય મહિલા ગોષ્ઠિ અને સંમેલન

તા.૬ થી ૮ દરમિયાન સંસ્કૃત ભારતી દ્વારા  સમાલખા (પાનિપત-હરિયાણા) ખાતે અખિલ ભારતીય મહિલા ગોષ્ઠિ અને સંમેલન યોજાશે. આ સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત અખિલ ભારતીય મહિલા સંમેલન ૬ થી ૮ નવેમ્બર સમાલખા-પાનીપત,હરિયાણા ખાતે શરૂ થઈ ગયો છે કે જ્યાં મોરબી માટે ગૌરવની વાત છે કે મોરબીથી પાંચ બહેનો કૃપાનીબેન ભટ્ટ, ઉષાબેન પંડ્યા, પલ્લવીબેન કણસાગરા, સીમાબેન શુક્લ, નિમુબેન હડિયલ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતનું પ્રતિનિધિત્વ  સાથે અખિલ ભારતીય મહિલા સંમેલનમાં સંમેલિત થશે.






Latest News