ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ જામીન મુક્ત


SHARE











મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓ જામીન મુક્ત

મોરબીના માધાપરમાં દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયેલ હતી અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં ઝડપાયેલા આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે માન્ય રાખીને કોર્ટે આરોપીઓનો જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે

મોબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયેલ હતી અને ત્યાર બાદ ફાયરીંગ થયું હતું જેથી કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ આરોપીના વકીલ મારફત મોરબી કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેને ધ્યાને લઈને મોરબીના મહે.પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દ્વારા આરોપીને જમીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે અને આરોપીના વકીલે કહ્યું હતું કે, આરોપીએ કોઈને મારી નાખવાની કોશિશ કરી નથી. એફઆઈઆર જોતા આરોપીનો કોઈ રોલ આવતો ન હોય અને આરોપીઓ મોરબીના સ્થાનિક રહેવાસી છે જેથી ભાગી જાય તેમ નથી વિગેરે દલીલ કરી હતી અને કેસમાં સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા રોકડાયેલા હતા અને હાલમાં ત્રણેય આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી પક્ષે સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનીલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, દેવીપ્રસાદ (દેવ) કે. જોષી અને સહેનાઝબેન સુમરા રોકાયેલ હતા






Latest News