મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા ૨૦ વિસ્તારમાં અશાંત ધારો લાગુ: બહાર પાડ્યું નોટિફિકેશન


SHARE











મોરબીના જુદાજુદા ૨૦ વિસ્તારમાં અશાંત ધારો લાગુ: બહાર પાડ્યું નોટિફિકેશન

મોરબી શહેરના જુદા વિસ્તાર સહિતના જુદાજુદા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની સ્થાનિક લોકોએ માંગ કરી હતી જેથી કરીને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને શહેરના ૨૦ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે

મોરબીના વાવડીરોડ ઉપરના જનકનગર, ન્યુ નજકનગર, રવિ પાર્ક સોસાયટી, નંદનવન સોસાયટી, કુબેરનગર સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી, ન્યુ ગાયત્રીનગર, મીરાપાર્ક તેમજ જૂના મોરબી શહેરના લખધીરવાસ, બક્ષી શેરી, જોડિયા હનુમાન શેરી, બુઢા બાવાની શેરી, ચૌહણ શેરી, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, રામનાથ મહાદેવ મંદિર શેરી, ભવાની ચોક, નવદુર્ગા ચોક, મોટી માધાણી શેરી, ખત્રીવાડ, સ્વામિનારાયણ મંદિર શેરી સહિતના વિસ્તારો માટે અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે અને આ અશાંતધારો લાગુ કરવામાં આવતા હવે તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે અને મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો પણ આપવી પડશે અને કલેક્ટરની મંજૂરી પછી જ મિલકતનું ખરીદ વેચાણ થઈ શકશે અને અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરી શકે છે અને મોરબીમાં વર્ષ ૨૦૨૭ સુધી ૨૦  વિસ્તારોમાં કલેકટરની પૂર્વ મંજૂરી વગર મિલ્કત શકાશે નહીં 






Latest News