મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ જુદાજુદા ગામમાં અલગ અલગ સંસ્થાઓ મૌન રેલી-શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા


SHARE











મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ જુદાજુદા ગામમાં અલગ અલગ સંસ્થાઓ મૌન રેલી-શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા

મોરીબમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની સહિતના સંગઠનો દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટનાના પગલે દિવંગતોની આત્માની શાંતિ માટે મૌન રેલી યોજવામાં આવી હતી. અને ઘટના સ્થળે જઈને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, ઝુલતાપુલ તુટવાની ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયેલ છે જેથી કરીને આ ઘટનાની વિશ્વમાં નોંધા લેવામાં આવેલ છે ત્યારે મૃતકોના આત્માની શાંતિ માટે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની સહિતની જુદીજુદી સંસ્થાઓ દ્વારા વિશ્વ હિંદુ પરિષદના મોરબી કાર્યાલયથી મચ્છુ નદીમાં ઘટના સ્થળ સુધીની મૌન રેલી યોજવામાં આવી હતી અને ત્યાર બાદ કેંડલ પ્રગટાવીને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. આ ઉપરાંત ઉમટાઉન શીપ, જૂની પીપળી ગામ, નાની વાવડી ગામ, તરઘરી ગામ, મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ ગોકુળ મથુરા સોસાયટી, મોરબીના વીસીપરામાં સવેરા ફાઉન્ડેશન તેમજ અન્ય ગામોમાં પણ શ્રદ્ધાંજલિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું






Latest News