મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ જુદાજુદા ગામમાં અલગ અલગ સંસ્થાઓ મૌન રેલી-શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા


SHARE











મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ જુદાજુદા ગામમાં અલગ અલગ સંસ્થાઓ મૌન રેલી-શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા

મોરીબમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની સહિતના સંગઠનો દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટનાના પગલે દિવંગતોની આત્માની શાંતિ માટે મૌન રેલી યોજવામાં આવી હતી. અને ઘટના સ્થળે જઈને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, ઝુલતાપુલ તુટવાની ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયેલ છે જેથી કરીને આ ઘટનાની વિશ્વમાં નોંધા લેવામાં આવેલ છે ત્યારે મૃતકોના આત્માની શાંતિ માટે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની સહિતની જુદીજુદી સંસ્થાઓ દ્વારા વિશ્વ હિંદુ પરિષદના મોરબી કાર્યાલયથી મચ્છુ નદીમાં ઘટના સ્થળ સુધીની મૌન રેલી યોજવામાં આવી હતી અને ત્યાર બાદ કેંડલ પ્રગટાવીને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. આ ઉપરાંત ઉમટાઉન શીપ, જૂની પીપળી ગામ, નાની વાવડી ગામ, તરઘરી ગામ, મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ ગોકુળ મથુરા સોસાયટી, મોરબીના વીસીપરામાં સવેરા ફાઉન્ડેશન તેમજ અન્ય ગામોમાં પણ શ્રદ્ધાંજલિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું






Latest News