મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી કહી ત્રાસ દેવામાં આવતા વાંકાનેરની પરણીતાએ પતિ સહિત સાત સામે નોંધાવી ફરિયાદ


SHARE











તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી કહી ત્રાસ દેવામાં આવતા વાંકાનેરની પરણીતાએ પતિ સહિત સાત સામે નોંધાવી ફરિયાદ

રાજકોટના જાળીયા ગામની પરણીતાએ હાલમાં મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ મળીને સાત સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી તેવું કહીને અવારનવાર મેળા ટોણા મારી બોલાચાલી કરીને ગાળો આપી હતી અને તેને માર મારવામાં આવ્યો હતો આવતો હતો તેમજ મહિલાએ કરેલ કેસને પાછો ખેંચી લેવા માટે થઈને પતિ અને સસરા દ્વારા ધમકી દેવામાં આવી હતી જેથી કરીને પરણીતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે પતિ સહિતના સાતની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ રાજકોટના જાળીયા ગામની પરણીતા હાલમાં વાંકાનેરની પેડક સોસાયટીમાં તેના માવતરના ઘરે હોય આરતીબેન જીગ્નેશભાઈ ચાવડા (૨૬)એ તેના પતિ જીગ્નેશભાઈ ચાવડા, સસરા મનસુખભાઈ લક્ષ્મણભાઈ ચાવડા, સાસુ મંજુલાબેન મનસુખભાઈ ચાવડા, જેઠ જયદેવભાઈ મનસુખભાઈ ચાવડા, જેઠાણી દક્ષાબેન જયદેવભાઈ ચાવડા, નણંદ મનીષાબેન મનસુખભાઈ ચાવડા અને મમતાબેન મનસુખભાઈ ચાવડા રહે. બધા જાળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે નાની-નાની બાબતોમાં અને ઘરકામ બાબતે તેની સાથે બોલાચાલી કરી માથાકૂટ કરતા હતા તેમજ તું કરિયાવરમાં કંઈ સારું લાવેલ નથી તેવું કહીને અવારનવાર બોલાચાલી કરી ગાળો આપીને મારપીટ કરતા હતા અને તેણે કરેલ કેસ પાછો ખેંચી લેવા માટે તેના પતિ તથા સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News