મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે પાડોશીના ખેતરમાં પાણી જતાં ખેડૂત અને તેના ભાભી ઉપર ચાર શખ્સોએ કર્યો છોરીયા વડે હુમલો


SHARE











હળવદના ચરાડવા ગામે પાડોશીના ખેતરમાં પાણી જતાં ખેડૂત અને તેના ભાભી ઉપર ચાર શખ્સોએ કર્યો છોરીયા વડે હુમલો

હળવદ તાલુકાના ચરડવા ગામે ખેડૂતના ખેતરમાંથી નીકળેલ પાણી પાડોશી ખેડૂતના ખેતરમાં જતા તે બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ગાળો આપને સોરીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલ ખેડૂત અને તેના ભાભીને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરડવા ગામે ગુરુકુળની પાછળના ભાગમાં રહેતા પ્રવીણભાઈ પ્રભુભાઈ સોનગ્રા જાતે દલવાડી (૩૫) એ હાલમાં ગોપાલભાઈ ઉકાભાઇ દલવાડી, ઉકાભાઇ ગંગારામભાઈ દલવાડી, કેશવજીભાઈ નરશીભાઈ દલવાડી અને મોતીલાલ નરશીભાઈ દલવાડી રહે. બધા ચરાડવા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓનું ખેતર આરોપી ગોપાલભાઈ ઉકાભાઇના ખેતરની બાજુમાં આવેલ છે અને તેના ખેતરનું પાણી આરોપી ગોપાલભાઈના ખેતરમાં જતા તેને સારું લાગ્યું ન હતું અને તે બાબતે આરોપીઓએ પ્રવીણભાઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કેશવજી નરશીભાઈ, ઉકાભાઇ ગંગારામભાઈ અને ગોપાલભાઈએ સોરીયા વડે પ્રવીણભાઈ તથા અનસોયાબેન ઉપર હુમલો કર્યો હતો અને તેઓને માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત પ્રવીણભાઈ અને તેના ભાભી અનસુયાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ પ્રવીણભાઈ સોનાગ્રાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News