જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ અને મેનજમેન્ટ કરનાર સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ અને મેનજમેન્ટ કરનાર સામે ગુનો નોંધાયો

મોરબીમાં રવિવારે ઝૂલતો પુલ તૂટી પડતા અંદાજે ૧૩૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે જેથી કરીને આ બનાવમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ કરનાર અને મેનજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ છે અને મોરબી સીટી બી ડીવિઝન પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પ્રકાશભાઇ અંબારામભાઇ દેકાવાડીયાએ ઝૂલતા પુલ મેન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર એજન્સી તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે, ઝુલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર તા.૩૦ ના રોજ સાંજના ૬:૩૦ કલાકના અરસામાં તુટી જતા આશરે ૫૦ થી વધુ લોકોના મૃત્યુ નીપજેલ છે તથા આશરે ૧૫૦ થી વધુ વ્યકિતઓને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હતી અત્રે ઉલેખનીય છે કે, આ ફરિયાદ નોંધાઈ ત્યારે પણ નદીમાંથી ડેડ બોડી બહાર કાઢવામાં આવી રહી હતી જેથી કરીને અત્યાર સુધી મૃત્યુનો આંક વધીને ૧૩૨ થઈ ગયેલ છે આ કેસની તપાસ નાયબ જિલ્લા પોલીસ વડા પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.

મોરબી બાર એસો.નો સ્નેહમિલન કાર્યક્રમ રદ
 
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુ:ખદ દુર્ઘટનાને અનુલક્ષીને મોરબી બાર એસોસિયેશનનુ તા.૧-૧૧ ના રોજ રાખેલ સ્નેહ મીલનનો કાર્યક્રમ સંજોગ વસાત રદ રાખવામાં આવેલ છે.જેની તમામ વકીલોને મોરબી બાર એસોસિયેશન દ્રારા જાણ કરવામાં આવેલ 





Latest News