મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર અને મોરબીના લીલાપર- સરદારનગરમાં ગૌશાળાના લાભાર્થે જુદાજુદા નાટકો યોજાશે


SHARE











ટંકારાના નસીતપર અને મોરબીના લીલાપર- સરદારનગરમાં ગૌશાળાના લાભાર્થે જુદાજુદા નાટકો યોજાશે

ટંકારાના નસીતપર ગામે ગૌશાળાના લાભાર્થે તા ૧/૧૧ ને મંગળવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે ઐતિહાસિક નાટક અને કોમિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને નસીતપરના શ્રી મારૂતિ ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે શ્રી જય અંબે ગૌસેવા યુવક મંડળ રાજપર (કું) દ્વારા ઐતિહાસિક નાટક રાનવઘણ યાને આહીરની ઉદારતા અને કોમેડી નાટક દિકરો દયારામ રજૂ કરવામાં આવશે જેથી લોકોને આ નાટક નિહાળવા અને ગૌસેવાના કાર્યમાં સહભાગી બનવા માટે મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામે અનુરોધ કર્યો છે.

ગૌશાળાના લાભાર્થે

મોરબીમાં અભિલાષા ગૌસેવા યુવક મંડળ ટ્રસ્ટ બગથળાના નેજા હેઠળ ગૌશાળાના લાભાર્થે તા ૩૧ ને સોમવારે રાત્રે સરદાર નગર સોસાયટી- ૧/૨ કન્યા છાત્રાલય મેઈન રોડ રાધે ક્રિષ્ના સ્કૂલની બાજુમાં નાટકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરદાર નગર સોસાયટી દ્વારા આયોજિત નાટકમાં શેણી વિજાણંદ યાને કે બાળપણની પ્રીત તેમજ કોમેડી નાટક કડવી ડોશીનો ઘર સંસાર રજૂ કરવામાં આવશે જેથી કરીને તેને નિહાળવા લોકોને આયોજકો દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

બજરંગ યુવક મંડળ

મોરબીના લીલાપર ગામે બજરંગ યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને ગૌસેવા માટે યોજતું આ નાટક તા. ૧ નવેમ્બરને મંગળવારે રાત્રે ૯ કલાકે લીલપર ગામે રામજી ચોક યોજાશે જેમાં કલાકારો દ્વારા નાગમતી નાગવાળો નાટક ભજવવામાં આવશે તેની સાથે કોમેડી નાટક જેઠાલાલની જમાવટ પણ રજૂ કરશે જેથી કરીને લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોકરેલ છે

- te






Latest News