તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે ગાડી રિવર્સમાં લેવાની બાબતે  સામસામી મારામારી


SHARE











મોરબીના લાલપર ગામ પાસે ગાડી રિવર્સમાં લેવાની બાબતે  સામસામી મારામારી

મોરબીના લાલપર ગામ પાસે આવેલ શ્રી ગણેશ પેલેટ કારખાનાની બહારના ભાગમાંથી વાહન લઈને નીકળતા હતા ત્યારે રિવર્સમાં આવતી યુટીલીટીના ચાલકને સમજાવવા જતા માથાકૂટ થઈ હતી અને બોલાચાલી થઈ હતી ત્યાર બાદ સામસામે મારમારી પણ થયેલ હતી હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સૂર્યકીર્તિ નગર શેરી નં-૨ માં શાંતિ પ્લે હાઉસની બાજુમાં હાલમાં રહેતા મૂળ બિહારના રહેવાસી બિક્રમકુમાર મહેન્દ્રઆઝાદ સિંહા જાતે કુર્મી (૩૪) એ હાલમાં ગોકુલભાઈ અને મુનીરામભાઈ રહે. બંને ગણેશ પ્લેટ કારખાના લાલપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાની કિયા કાર લઈને નીકળતા હતા ત્યારે ગોકુળભાઈ પોતાની યુટીલીટી વાહન આગળ પાછળ જોયા વિના રિવર્સ લેતા હતા અને બિક્રમકુમાર તેને સમજાવવા જતા તે એકદમ મુશ્કેલાઈ ગયા હતા અને ત્યારે સામે વાળાએ ગાળો આપી હતી માર માર્યો હતો તેમજ મુનીરામભાઇએ ગાળો બોલીને લોખંડના પાઈપ માર્યો હતો જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થતા સારવારમાં લાવ્યા હતા અને યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામાપક્ષેથી આ બનાવમાં મુનીરામભાઈ અદાલતભાઈ ચૌધરી જાતે કુર્મી (૨૯) એ બિક્રમકુમાર સિંન્હા અને રાજુભાઈ સિંહા રહે. બંને મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગણેશ કારખાનાની બહાર તેઓ ફોન ઉપર વાત કરતા હતા ત્યારે બિક્રમકુમાર પોતાની કિયા કાર લઈને નીકળતા ગોકુલભાઈની સાથે બોલાચાલી કરીને ઢિકાપાટુનો માર મારીને ગાળો આપતા હતા અને તેની સાથે રહેલ શખ્સ દ્વારા પણ યુટીલીટીના કાચમાં લાકડીનો ધોકો મારીને કાચ તોડી નાખવામાં આવ્યો હતો જેથી કરીને મુનીરામભાઈ ચૌધરીની ફરિયાદ લઈને પોલીસે બંને શખ્સની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News