મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે ગાડી રિવર્સમાં લેવાની બાબતે  સામસામી મારામારી


SHARE











મોરબીના લાલપર ગામ પાસે ગાડી રિવર્સમાં લેવાની બાબતે  સામસામી મારામારી

મોરબીના લાલપર ગામ પાસે આવેલ શ્રી ગણેશ પેલેટ કારખાનાની બહારના ભાગમાંથી વાહન લઈને નીકળતા હતા ત્યારે રિવર્સમાં આવતી યુટીલીટીના ચાલકને સમજાવવા જતા માથાકૂટ થઈ હતી અને બોલાચાલી થઈ હતી ત્યાર બાદ સામસામે મારમારી પણ થયેલ હતી હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સૂર્યકીર્તિ નગર શેરી નં-૨ માં શાંતિ પ્લે હાઉસની બાજુમાં હાલમાં રહેતા મૂળ બિહારના રહેવાસી બિક્રમકુમાર મહેન્દ્રઆઝાદ સિંહા જાતે કુર્મી (૩૪) એ હાલમાં ગોકુલભાઈ અને મુનીરામભાઈ રહે. બંને ગણેશ પ્લેટ કારખાના લાલપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાની કિયા કાર લઈને નીકળતા હતા ત્યારે ગોકુળભાઈ પોતાની યુટીલીટી વાહન આગળ પાછળ જોયા વિના રિવર્સ લેતા હતા અને બિક્રમકુમાર તેને સમજાવવા જતા તે એકદમ મુશ્કેલાઈ ગયા હતા અને ત્યારે સામે વાળાએ ગાળો આપી હતી માર માર્યો હતો તેમજ મુનીરામભાઇએ ગાળો બોલીને લોખંડના પાઈપ માર્યો હતો જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થતા સારવારમાં લાવ્યા હતા અને યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામાપક્ષેથી આ બનાવમાં મુનીરામભાઈ અદાલતભાઈ ચૌધરી જાતે કુર્મી (૨૯) એ બિક્રમકુમાર સિંન્હા અને રાજુભાઈ સિંહા રહે. બંને મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગણેશ કારખાનાની બહાર તેઓ ફોન ઉપર વાત કરતા હતા ત્યારે બિક્રમકુમાર પોતાની કિયા કાર લઈને નીકળતા ગોકુલભાઈની સાથે બોલાચાલી કરીને ઢિકાપાટુનો માર મારીને ગાળો આપતા હતા અને તેની સાથે રહેલ શખ્સ દ્વારા પણ યુટીલીટીના કાચમાં લાકડીનો ધોકો મારીને કાચ તોડી નાખવામાં આવ્યો હતો જેથી કરીને મુનીરામભાઈ ચૌધરીની ફરિયાદ લઈને પોલીસે બંને શખ્સની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News