મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક મીઠાના કારખાના પાસે ટ્રેક્ટર પલટી જતાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE













માળીયા (મી) નજીક મીઠાના કારખાના પાસે ટ્રેક્ટર પલટી જતાં ઇજા પામેલ રાજસ્થાની યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામ પાસે આવેલ મીઠાના કારખાનામાં ટ્રેક્ટર ચાલાકે ટ્રેક્ટરને પલટી ખવડાવી દેતા ટ્રેક્ટર ચાલકને મોઢા, માથા, દાઢી અને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક યુવાનની સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના નવોડાબેરાના રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામે આવેલ જલાલુદ્દીન સોલ્ટ મીઠાના કારખાના પાસે રહેતા હાસમખા વલીમામદભાઈ કલર જાતે સિંધી મુસ્લિમ (ઉંમર ૩૬) એ મરણ જનાર શારુખા ભૈરવખા મંગલિયા જાતે સિંધી (ઉમર ૪૬) રહે. બડનાવાજાગીર તાલુકો પંચપદરા જીલ્લો બાડમેર રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવી છે કે માળીયા મીયાણા નજીક આવેલ જલાલુદ્દીન સોલ્ટ પાસે મૃતક શેરુખા મંગાલીયા પોતાના હવાલા વાળું ટ્રેક્ટર નં. આરજે ૭ આરડી ૦૪૧૩ લઈને પસાર થતો હતો ત્યારે તેને બેફિકરાયથી પોતાના ટ્રેક્ટર ચલાવ્યું હતું અને ટ્રેક્ટર પલટી મારી જતા તેને માથા, મોઢા, દાઢી અને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે આ બનાવમાં ફરિયાદ લઈને મૃતકની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર કેન્દ્રીય વિદ્યાલયની પાછળના ભાગમાં શ્રદ્ધાદીપ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ રમેશભાઈ સીતાપરા જાતે પટેલ પોતાની કાર નં. જીજે ૩ સીઆર ૫૫૮૫ લઈને મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક નગરનાકા પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રક નં. જીજે ૧૨ બીએક્સ ૬૮૭૯ ના ચાલકે તેની કારને લીધી હતી જેથી કરીને સુરેશભાઈને માથામાં તેમજ જમણા નેણ ઉપર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેને ટ્રક ચાલકની સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News