મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના લાભાર્થે પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ સહિતના કલાકારનો કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના લાભાર્થે પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ સહિતના કલાકારનો કાર્યક્રમ યોજાશે

મોરબીના લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞા ચક્ષુ પુનવર્સન કેન્દ્ર આવેલ છેકે જ્યાં પ્રજ્ઞા ચક્ષુઓ રહે છે અને જુદી જુદી સંસ્થાઓમાં કામ કરીને માનભેર સ્વરોજગારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તે સંસ્થા ખાતે પ્રજ્ઞાચક્ષુઓના રહેવા માટે ૧૦૦ જેટલા ફલેટ બનાવવાનું આયોજન કરેલું હોય અને તેના ખર્ચને પહોંચી વળવા માટે હાસ્ય કલાકારોમાં શિરમોર ગણાતા શાહબુદ્દીનભાઈ રાઠોડ, જીતુભાઈ દ્વારકાવાળા તેમજ સાથે લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાબરના ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં ઉપસ્થિત રહીને પ્રજ્ઞાચક્ષુઓની સંસ્થાને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે અપીલ કરવામાં આવેલ છે.

મોરબીની ધરા ઉપર હાસ્યસમ્રાટ પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ, જીતુભાઇ દ્વારકાવાળા તથા લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા ખાસ પ્રજ્ઞાચક્ષુઓના વિકાસ માટે તેમજ મોરબીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ૧૦૦ ફ્લેટ બનાવવવાનું જે આયોજન થઈ રહ્યું છે.તેના લાભાર્થે મોરબીની જાહેર જનતાને હાસ્યરસ તથા લોકસાહિત્ય પીરસશે.આ અનોખા ઉત્સવમાં પધારી સંસ્થાની તથા પ્રજ્ઞાચક્ષુઓની શોભામાં અભિવૃદ્ધિ કરવા સૌને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.કાર્યક્રમની સાથેસાથે અંધબાળાઓની નૃત્ય કૃતિઓ પણ લોકોને નિહાળવા મળશે.આગામી તા.૬-૧૧ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર આર્યવત સ્કૂલની બાજુમાં, મોરબી-માળિયા હાઇવે લક્ષ્મીનગર તા.જી.મોરબી ખાતે યોજાનાર ઉપરોકત સેવાકાર્યની વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૪૨૯૯ ૭૮૯૩૦ અથવા ૯૨૨૮૮ ૯૭૩૭૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News