તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

E-COOPRATIVE PORTAL પર કરવાની કામગીરી અંગે માર્ગદર્શન માટે રાજકોટમાં સેમિનાર યોજાશે


SHARE











E-COOPRATIVE PORTAL પર કરવાની કામગીરી અંગે માર્ગદર્શન માટે રાજકોટમાં સેમિનાર યોજાશે

ગુજરાત રાજયમાં નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ અમલમાં છે. ડીજીટલ ઈન્‍ડીયા અને પેપરલેસ વહીવટના ભાગ રૂપે મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૯/૦૨ ના રોજ રાજયમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ ની જોગવાઈઓનાં અસરકારક અમલ માટે “E – COOPERATIVE PORTAL  લોન્‍ચ કરવામાં આવેલ છે.

જેનાથી તમામ નાણાંની ધીરધાર કરનારાઓએ કાયદા હેઠળનાં જરૂરી હોય તેવા નવા રજિસ્ટ્રેશન, રીન્યુ રજિસ્ટ્રેશન તેમજ ધિરાણના માસિક પત્રકો, ઓડીટ રીપોર્ટ જેવી તમામ કામગીરી ઓનલાઈન કરવાની થાય છે. ઉક્ત સોફટવેર અંતર્ગત ONLINE  કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન માટે રજિસ્ટ્રાર ઓફ મનીલેન્‍ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરી-મોરબી દ્વારા રાજકોટ જિલ્લા સહકારી સંઘ લિ. રાજકોટના સહયોગથી તા.૧૭/૧૦ ના રોજ સાંજે ૫-૦૦ થી ૭-૦૦ કલાક દરમિયાન “સહકાર ત્રિવેણી”, શ્રી રાજકોટ જિલ્લા સહકારી સંઘ લી., ૨૯/૩૮, કરણપરા, બસ સ્ટેન્ડ પાછળ, રાજકોટ ખાતે સેમીનારનું આયોજન ગોઠવવામાં આવેલ છે. આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનારમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ હેઠળ નોંધાયેલ મોરબી જિલ્લાના તમામ નાણાં ધિરધાર કરનારાઓએ હાજર રહેવાનું રહેશે. તેમજ હવે પછીથી નાણાં ધિરધાર કરનારાઓએ દર માસે રજુ કરવામાં આવતાં ધિરાણને લગતાં પત્રકો માત્ર ONLINE જ સ્વીકારવામાં આવશે જેની નોંધ લેવા મોરબી જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.






Latest News