મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સોની વેપારીએ શારરિક તકલીફ-ધંધો નબળો પડતાં કર્યો આપઘાત


SHARE











મોરબીના સોની વેપારીએ શારરિક તકલીફ-ધંધો નબળો પડતાં કર્યો આપઘાત

મોરબીના ભવાની ચોક પાસે આવેલ વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા સોની વેપારી યુવામનનો ધંધો નબળો ચાલતો હોય તેમજ શારીરિક તકલીફ હોવાના કારણે તેણે કંટાળી જઈને મોરબી નજીકના મચ્છુ બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ભવાની ચોકમાં આવેલ વિશ્વકર્મા મંદિર પાસે રહેતા સોની વેપારી જયેશભાઈ છગનભાઈ રાણપરા જાતે સોની (ઉંમર ૪૪) મોરબી નજીકના મચ્છુ બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના ભાઈ કેતનભાઇ છગનભાઈ રાણપરા (ઉંમર ૪૨) રહે. ભવાની ચોક વિશ્વકર્મા મંદિર વાળાએ જાણ કરી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક યુવાનને બીપીની તકલીફ હતી તેમજ બંને પગના ગોળામાં તકલીફ હતી તેની સાથોસાથ ધંધો પણ નબળો હોવાથી કંટાળી જઈને તેઓએ મચ્છુ-બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું મૃતકના પરિવારજનો પાસેથી પોલીસને જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News