મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











ટંકારાના છતર ગામે દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં જાહેરમાં દુકાન પાસે ગાળો બોલતા ત્રણ શખ્સોને ગાળો બોલવાની યુવાને ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં આવેલ અબ્દુલભાઈની પાનની દુકાન પાસે ક્રિષ્નાભાઈ રાજેશભાઈ પરમાર જાતે દેવીપુજક (૧૭) ઉભો હતો ત્યારે જાહેરમાં પ્રવીણભાઈ દેવજીભાઈ પરમાર, યુવરાજ ભાઈલાલ પરમાર અને સોહન ભુપતભાઈ પરમાર રહે. બધા છતર વાળા દુકાન પાસેથી બહેન દીકરીઓ નીકળતી હતી ત્યારે ગાળો બોલતા હતા જેથી કરીને યુવાને તેને ગાળો ન બોલવાનું કહ્યું હતું જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણેય શખ્સોએ યુવાનને છાતી, પેટ તેમજ માથાના ભાગે ઢીકા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં આવેલ પાટીદાર પેપર મિલના મજુરના કવાર્ટરમાં ક્વોટરમાં રહેતા સંજુરાજ (ઉંમર ૨૬) નામના યુવાનનું બીમારી સબબ કવાર્ટરમાં મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મૃતકના મામા જયસંગભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News