તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસ પથકમાંથી આર.બી.વ્યાસ નિવૃત થતા નિવૃત્તિ વિદાયમાન અપાયું


SHARE











મોરબી તાલુકા પોલીસ પથકમાંથી આર.બી.વ્યાસ નિવૃત થતા નિવૃત્તિ વિદાયમાન અપાયું

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવતા આર.બી.વ્યાસ વયમર્યાદાના લીધે સેવાનિવૃત થતા તેમને તાલુકા પીઆઇ તેમજ જિલ્લા પોલીસવડા દ્વારા નિવૃત્તિ વિદાયમા આપવામાં આવ્યું હતું.તેમજ તેઓ હાલ જ્યાં રહે છે તે રાજનગર સોસાયટીની ગરબી ખાતે પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મૂળ મોરબીના ટંકારા તાલુકાના નાના રામપર ગામના વતની અને હાલ મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર સોસાયટી વિસ્તારમાં રહેતા આર.બી.વ્યાસ કે જેઓ તા.૧૧-૧૦-૧૯૮૪ ના રોજ અમરેલીના લાઠી પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસમાં જોડાયા હતા અને ગત તા.૩૦-૯-૨૦૨૨ ના ૩૭ વર્ષની નોકરી પૂરી કરીને સેવા નિવૃત્ત થયા હતા.તેઓએ તેમના કાર્યકાળ દરમિયાન અમરેલી, કોડીનાર અને ખાસ કરીને સૌથી વધુ ૨૦ વર્ષ જેવો સમય રાજુલાના આઉટ પોસ્ટ એવા ડુંગરપુર પોલીસ સ્ટેશન ખાતે વિતાવ્યો હતો. તેમજ ધારી, જાફરાબાદ, ખાંભા અને છેલ્લા સાત વર્ષથી મોરબીમા હતા જેમાં મોરબી સિટી એ ડિવિઝન તેમજ છેલ્લે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેઓ તા.૩૦-૯ ના નિવૃત્ત થયા હતા.જ્યાં તાલુકા પોલીસ મથકના નવા નિમાયેલા પીઆઇ કે.એ.વાળા દ્વારા શ્રીફળ પડો આપીને તેઓને નિવૃત્તિ વિદાયમાન અપાયુ હતુ. તેમજ જિલ્લા પોલીસવાડા રાહુલ ત્રિપાઠી દ્વારા અને તેઓ જ્યાં રહે છે તે રાજનગર વિસ્તારમાં યોજાતી ગરબીમાં પણ તેઓને સન્માનિત કરીને તેમની કામગીરીને બીરદાવવામાં આવી હતી અને નિવૃત્ત જીવનમાં તેઓને સુખમય અને આરોગ્યમય બની રહે તેવી સાથી પોલીસમિત્રો સહીતના સૌ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી






Latest News