તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા કારખાનેદારે ધંધામાં ખોટ આવતા કર્યો આપઘાત


SHARE











મોરબીમાં રહેતા કારખાનેદારે ધંધામાં ખોટ આવતા કર્યો આપઘાત 

મૂળ જૂનાગઢના રહેવાસી અને છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં રહીને સિરામીક મિનરલ્સના ધંધામાં ભાગીદારીમાં કામકાજ કરતા વેપારી આધેડે ધંધામાં ખોટ આવતા ટંકારાના ધ્રુવનગર ગામ નજીક ઝેરી દવા પી લઇને અંતિમ પગલું ભરી લેતા તેઓનું મોત નિપજયુ હતું જેથી પોલીસે બનાવ અંગે નોંધ કરીને બનાવની આગળની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટંકારા તાલુકામાં આવેલા ધ્રુવનગર ગામની સીમમાં ઝેરી દવા પી લેતા હરિભાઈ ખીમજીભાઇ બહેરા જાતે પટેલ (ઉમર ૫૬) હાલ રહે.મોરબી રવાપર રોડ લવહીલ એપાર્ટમેન્ટ મૂળ રહે. હરિઓમનગર જુનાગઢ વાળાનું મોત નિપજયુ હતું.જેથી કરીને તેમના મૃતદેહને ટંકારા સિવિલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી છે જેની તપાસ એમ.પી.ચાવડા ચલાવી રહ્યા છે.વધુમાં તપાસ કરી રહેલા મુકેશભાઇ ચાવડા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક હરિભાઈ ખીમજીભાઈ પટેલ મૂળ જૂનાગઢ વિસ્તારના રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં રહીને અહીં મોરબીના સામાકાંઠે ભડીયાદ નજીક આવેલ સિરામીક મિનરલ્સના ધંધામાં ભાગીદારીમાં કામકાજ કરતા હતા જોકે હાલ યુનીટ બંધ હોય અને ધંધામાં ખોટ આવવાના કારણે ગઈકાલે હરીભાઇએ ટંકારાના ધ્રુવનગર ગામની સીમમાં ઝેરી દવા પી લઇને અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે ભરવાડવાસ વિસ્તારમાં રહેતા જતીન વાલજીભાઈ શિયાળ નામના ૨૧ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે તા.૨૮ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં જતીન વાલજીભાઈ નામનો યુવાન બાઈક લઈને જસમતગઢ અને જેતપર વચ્ચેથી જતો હતો ત્યારે આલ્ફાનસો વિટ્રીફાઇડ નજીક તેના બાઇકની આડે  ખૂંટીઓ આડો ઉતરતા બાઇક સ્લીપ થઇ જતા તેને માથામાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા તપાસ ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના ગેબનશાપીરની દરગાહ પાસે થયેલ મારામારીના બનાવમાં મોરબીના રબારીવાસ વિસ્તારમાં રહેતા મંજૂરહુસેન ઈકબાલભાઇ જીંદાણી નામના ૨૨ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.






Latest News