ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લોહાણા યુવાનની હત્યાના ગુનામાં સરફરાજ મકવાણાની ધરપકડ


SHARE







વાંકાનેરમાં લોહાણા યુવાનની હત્યાના ગુનામાં સરફરાજ મકવાણાની ધરપકડ

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનની છરીના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે ત્યાર બાદ આ ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ફરિયાદ નોંધાઈ હતી જેમાં તા.૧૧ ના રાત્રીના એક વાગ્યે વાંકાનેર અમરનાથ સોસાયટીના નાકે અમીત ઉર્ફે લાલો અશ્વીનભાઇ કોટેચાની પૈસાની લેવડ દેવડ બાબતે આરોપી ઇમરાન ફારૂક આરબ તથા ઉનાયત અયુબ પીપરવાડીયા રહે. વાંકાનેર વાળાએ છરી ગુપ્તીથી આડેધડ ધા મારી હત્યા કરી હતી આ બનાવમાં આરોપી ઇમરાન તથા ઇનાયતને પોલીસે અટક કરીને જેલ હવાલે કરેલ છે ત્યાર બાદ આ ગુનાની તપાસ સીપીઆઈ બી.પી.સોનારાને સોપવામાં આવી હતી અને આ ગુનામાં નાશી ગયેલ આરોપી સરફરાજ હુસેનભાઇ મકવાણા રહે. આશીયાના સોસાયટી વાંકાનેર વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપી સરફરાજ હુસેન મકવાણા ચોટીલાથી થાનગઢ તરફ જનાર છે તેવી માહિતી મળી હતી જેના આધારે પોલીસે ચોટીલા થાનગઢ ચોકડી ખાતે વોચ રાખી હતી અને ત્યાંથી આરોપીને પકડીને પોલીસે કોરોના ટેસ્ટ કરાવી તેની ધરપકડ કરેલ છે અને આરોપીના રીમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News