મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સમાજના ૧૨૩ થી વધુ વિદ્યાર્થીઓનો સમાજના આગેવાનોના હસ્તે સન્માનીત કરાયા


SHARE











મોરબીમાં આહીર સમાજના ૧૨૩ થી વધુ વિદ્યાર્થીઓનો સમાજના આગેવાનોના હસ્તે સન્માનીત કરાયા

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે દર વર્ષે સમાન સમારોહનો આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વેશે નવલખી રોડ ઉપર મચ્છોયા આહીર જ્ઞાતિની વાડી ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું ઉદ્ઘાટન વવાણીયા રામબાઈમાની જગ્યાના મહંત કિશનદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે સમાજના આગેવાનોના હસ્તે ૧૨૩ કરતાં વધુ વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ મંડળના જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયેલ હોય તેમને નિવૃત્તિ સન્માન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના દાતા તરીકે કાળુભાઈ પોલાભાઈ ચાવડાએ આર્થિક સહયોગ આપ્યો હતો ત્યાર બાદ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરી બહેને મંડળની કામગીરી બિરદાવી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. અને મુખ્ય વક્તા તરીકે એડિશનલ કલેક્ટર જયશ્રીબેન કુંભરવાડીયાએડિશનલ કલેકટર ઈલાબેન આહીર તથા આસિસ્ટન્ટ કમિશનર જીએસટી નિર્મળભાઈ ગોગરાએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ હરદાસભાઇ ડાંગર તથા ડો. હર્ષાબેન મોરે પણ વક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ અજયભાઈ ડાંગર, મંત્રી મયુરભાઈ ગજીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News