મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે ઢોર માર મારીને યુવાનની હત્યા: ચાર શખ્સો સામે નોંધાયો ગુનો 


SHARE











મોરબીના બંધુનગર પાસે ઢોર માર મારીને યુવાનની હત્યા: ચાર શખ્સો સામે નોંધાયો ગુનો 

મોરબીના બંધુનગર ગામ પાસેથી શનિવારે સાંજના સમયે ઢોર માર મારીને યુવાનની હત્યા કરેલ હાલતમાં લાશ સિરામિક કારખાનામાંથી મળી આવી હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવેલ હતો અને આ મૃતક યુવાનની ઓળખ થઈ ગયા બાદ હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મળતી માહિતી મુજબ મોરબીના બંધુનગર નજીક પેટ્રોલ પંપ પાસે આવેલ કારખાનાના ગેઇટ પાસેથી અજાણ્યા યુવાન પુરુષની ઢોર માર મારીને હત્યા કરેલી લાશ મળી હતી જેથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને યુવાનના મૃતદેહને સિવિલે ખસેડીને મૃતક વ્યક્તિ કોણ છે તેની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને ત્યારે બાદ મોરબી તાલુકા પીએસઆઈ અજમેરી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક વ્યક્તિનું નામ મંગલસિંગ લક્ષ્મણભાઈ ભાભર જાતે આદિવાસી (૨૯) રહે, હાલ મોરબી મૂળ ઋણજી ગામ પેટલાવાદ, જાંબવા એમપી વાળો છે અને તેના પરિવારજનો મોરબી આવી ગયેલ છે

હાલમાં મૃતક યુવાનના ભાઈ નાથુ લક્ષમણ ભાભર જાતે આદિવાસી (૩૩) રહે. રૂણજી, ભુરીયા ફળીયા,ઘુઘરી, તાલુકો પેટલાવદ જીલ્લો જાંબુઆ (એમ.પી.) વાળાએ શૈલેષ પસવાભાઇ પરમાર જાતે આદિવાસી, વિક્રમ સીતારામ જાટમ, રાજેશ મુળજીભાઇ પટેલ તથા પ્રવિણ રણછોડભાઇ પટેલ રહે. બધા હાલ એપલ સીરામીક કારખાનામાં બંધુનગર વાળાની સામે તેના ભાઈ મંગલસિંગ લક્ષ્મણભાઈ ભાભરની હત્યાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, મંગલસિંગ લક્ષ્મણભાઈ ભાભર શંકાસ્પદ લાગતા તેને પકડીને ચારેય આરોપીઓએ તેને ઢીકાપાટુ, લાકડી કે ધોકા વડે માર માર્યો હતો જેથી મંગલસીંગનું મોત નીપજયું છે માટે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News