મોરબી સાર્થક વિદ્યામંદીરમાં સંસ્કૃત કક્ષનું રવિવારે કરશે ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે સાંજે કર્મચારી, વેપારીઓ અને સામાજિક કાર્યકરનો સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે સાંજે કર્મચારી, વેપારીઓ અને સામાજિક કાર્યકરનો સન્માન સમારોહ યોજાશે

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સમયાંતરે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રમાણિક વેપારીઓનું સન્માન કરવામાં આવે છે તેવી જ રીતે આજે સાંજે ચાર વાગ્યે રવાપર ગામ પાસે મંદિર સામે આવેલ ઉમા હોલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ કર્મનિષ્ઠ કર્મચારી, પ્રમાણિક વેપારીઓનું તેમજ સામાજિક કાર્યકરનું સન્માન કરવામાં આવશે

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે જે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કલેકટર જે.બી. પટેલ, પૂર્વ સાંસદ રમાબેન માવાણી, નાયબ કલેકટર અને સબ મેજીસ્ટ્રેટ દેવેન્દ્રસિંહ ઝાલા,  મોરબી તાલુકાના મામલતદાર એન.એસ. મહેતા, મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા અધિકારીઓ અને આગેવાનો હાજર રહેવાના છે આ તકે લોકોને ગ્રાહકોના હક્કો માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે તેમજ કર્મચારી અને વેપારીઓના આગેવાનો અને અધિકારીઓનાં હસ્તે સન્માનિત કરવામાં આવશે તેવું સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યુ છે






Latest News