ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચોર સમજીને માર મારવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર


SHARE







મોરબીમાં ચોર સમજીને માર મારવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર

મોરબીના શનાળા રોડ ઉપર વાડી પાસે ચોર સમજીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી જેથી આરોપીએ આગોતરા જમીન માટે કોર્ટમાં વકીલ મારફતે અરજી કરી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી આગોતરા જમીન મંજૂર કરેલ છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મારા મારીના બનાવની ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીઓએ રાત્રીના સમયે ઈજા પામનારને ચોર સમજીને માર માર્યો હતો જેથી મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં આરોપી નકુમ નવીનભાઈ રમેશભાઈ ની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને આરોપી તરફે જાણીતા વકીલ એચ.એમ.ભોરણીયા તથા કાનજી એમ. ગરચર રોકાયેલ હતા. અને તેને કોર્ટમાં ધારદાર દલીલ કરેલ હતી કે, આરોપીઓએ આવો કોઈ ગુન્હો કરેલ નથી, આવા કોઈ ગુન્હો અંગે જાણતા નથી, તેમ છતાં ખોટી રીતે સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપી સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને આગોતરા જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.અને આ કેસમાં આરોપી તરફે જાણીતા વકીલ એચ.એમ.ભોરણીયા, કાનજી એમ.ગરચર તથા કરમશી ડી.પરમાર રોકાયેલ હતાં.






Latest News