મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના લીંબાળાધાર પાસે બાઇક આડે કૂતરું ઉતરા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE











વાંકાનેરના લીંબાળાધાર પાસે બાઇક આડે કૂતરું ઉતરા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર તરફ આવતા ને.હા. રોડ ઉપર બાઇક આડે કૂતરું આવી જતાં લીંબાળાધાર પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબી બોરીચાવાસ પાસે મકરાણીવાસમાં રહેતા વૃદ્ધને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતકના દીકરાએ બાઇક ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બોરીચાવાસ પાસે મકરાણીવાસમાં સબજેલની પાછળના ભાગમાં રહેતા ફારૂકશાં સુલેમાનશાં શાહમદાર જાતે ફકીર (૪૦)એ હાલમાં મહેશભાઈ સાદુળભાઈ ચૌહાણ જાતે રાવળદેવ (૩૫) રહે. ચોટીલા ચામુંડા ધર્મશાળા પાછળ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૩/૭ ના રાત્રીના સાડા નવેક વાગ્યે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર તરફ આવતા ને.હા. રોડ ઉપર લીંબાળાધાર પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે આરોપીના બાઈકમાં ફરિયાદીના પિતા સુલેમાનભાઈ હાસમભાઈ શાહમદાર (૭૦) અને આરોપીનો દીકરો વાસુદેવ (૮) સાથે બેઠા હતા અને ત્રણ સવારીમા તેઓ રોડ ઉપરથી જતાં હતા ત્યારે બાઇક નંબર જીજે ૧૩ બીબી ૦૨૫૧ ની આડે કુતરુ આવ્યું હતું જેથી કરીને બાઇકને બ્રેક મારતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને ફરિયાદીના પિતા સહિતના ત્રણેય રોડ ઉપર પડી ગયા હતા ત્યારે આરોપીને માથા, મોઢા અને પગે ઇજા થઈ હતી તેના દીકરાને મોઢા તથા પગે છોલછાલની ઇજા થઈ હતી અને ફરિયાદીના પિતા સુલેમાનભાઈ હાસમભાઈ શાહમદાર (૭૦) ને કપાળ અને માથાના ભાગે વધુ ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડાયા હતા અને ચાલુ સારવાર દરમિયાન ફરિયાદીના પિતાનું મોત નીપજયું છે જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઇક ચાલકની સામે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ ૧૮૪, ૧૭૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News