મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક હસનપરના પુલ પાસે ઘેટાં ઉપર ટ્રક ફરી વળતાં ૧૦ વધુ ઘેટાના મોત


SHARE











વાંકાનેર નજીક હસનપરના પુલ પાસે ઘેટાં ઉપર ટ્રક ફરી વળતાં ૧૦ વધુ ઘેટાના મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર આવેલ હસનપરના પુલ પાસે સોમવારે બપોરના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ ઉપરથી પસાર થતો ટ્રક કોઈ કારણોસર રોડ સાઈડમાંથી પસાર થતા ઘેટાંના ટોળા ઉપર ફરી વળ્યો હતો જેથી કરીને ૧૦ થી વધુ ઘેટાના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા અને ચાલકનો ટ્રક રોડ ઉપરથી જતી એક કારમાં પણ પાછળના ભાગે અથડાયો હતો જેથી કરીને કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી અને અકસ્માતના બનાવના કારણે રસ્તા ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો જેથી કરીને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના પહોંચી હતી અને રસ્તા ઉપરથી અકસ્માત સર્જાયેલ વાહનોને દૂર કરવાની તેમજ રોડ ઉપર ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી જોકે અકસ્માતના બનાવવામાં કારમાં બેઠેલા વ્યક્તિઓને કોઈ ઈજા થયેલ છે કે કેમ તેની માહિતીઓ મેળવાઇ રહી છે






Latest News